SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૫ તે વખતે એક ઘરડી સ્ત્રી ધૂણી. પ્રથમ એણે પિતાનું શરીર મરહ્યું, બન્ને હાથ ઊંચા કર્યા, માથાના કેશ છૂટા મૂક્યા, - ભયંકર રૂપ કર્યું, ફટ ફટ અવાજ કરવા માંડયો અને વનદેવી ધૂણું. - તેનું આખું શરીર ભયંકર ચેષ્ટા કરવા લાગ્યું. રાજા અને | સર્વ માણસો તેથી અહી ગયા, તેથી તેની પૂજા કરી, તેને ધૂપ કર્યો અને પછી તેને પૂછયું “ભટ્ટારિકા ! તું કોણ છે?” તેણે જવાબમાં કહ્યું “હું વનદેવી છું. આ વામદેવની અત્યારે જે અવસ્થા થઈ છે તે મેં કરી છે, કારણ કે એ પાપીએ આ સભાવથી ભરપૂર રરરળસ્વભાવી વિમળકુમારને છેતર્યો છે. એ પાપી એનું રત ઉઠાવી ગયે, બીજી જગ્યાએ તેને સંતાડી આવ્ય, રનને બદલે પથ્થરને લઈને નાશી ગયો અને તપાસતાં રતને બદલે પથ્થર દેખ્યો જેથી ફરીવાર તે રન લેવા અહીં આવ્યું છે અને આવી ખોટી જાળ ઊભી કરી કુમારને ઠગે છે.” આ પ્રમાણે કહીને વનદેવીએ મારી આખી હકીકત બરાબર કહી બતાવી અને તે એટલા વિસ્તારથી કહી કે સર્વ તે બરાબર સમજી ગયા. પછી જે પ્રદેશમાં મેં રન છપાવ્યું હતું તે પ્રદેશમાં જઈને તે રન પણ બતાવ્યું. આટલે પ્રત્યક્ષ પુરાવો બતાવી પછી તેણે કહ્યું “એ દુરાત્મા વામદેવના હવે ચૂરેચૂરા કરવાની છું. એવા પાપીને શા માટે હૈયાત રાખવો?” વનદેવીને આવો નિર્ણય રસાંભળી વિમળકુમાર વચ્ચે પડયો અને મુખેથી બે “દેવી ! સુંદરી! એમ ન કરે, ન કરો! જે તમે એમ કરશે તો મારા મનમાં મોટો સંતાપ થશે.” વિમળકુમારે જ્યારે દેવીની એવી રીતે પ્રાર્થના કરી ત્યારે વન વીએ મને છોડી મૂક્યો, પણ લોકોએ મારી ઘણી શિષ્ટતાની હદ - નિંદા કરી, સમજુ માણસોએ મારો તિરસ્કાર કર્યો, ' બાળકેએ મારી મશ્કરી કરી અને સ્વજન સંબંધી એએ મને બહાર કાઢી મૂક્યો. ટૂંકમાં કહું તો લેકમાં હું તરણથી પણ હલકે થયો. આટલી હકીકત બની છતાં પણ વિમળકુમારમાં તે એટલી બધી મહાનુભાવતા હતી કે તે તે મને અસલ પ્રમાણે જ જોતો હતે, મારા ઉપર એટલો જ એહ રાખતા હતા, પિતાના એહમાં જરા પણ ફેરફાર દેખાડતે નહોતે, પ્રેમભાવમાં કચાશ પડવા દેતો નહોતો, મારી ઉપર કૃપામાં ઓછાશ કરતો હતો અને મારાથી જુદો એક ક્ષણવાર પણ પડત નહે, એટલું જ નહિ પણુ મુખેથી પનું અને કહેતા કે “મિત્ર વામદેવ! આવા અણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy