SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૬] ચારિત્રરાજને અન્ય પરિવાર. ૧૦૫ તેષને થાપ આપે છે. આવી રીતે એક બીજા ઉપરના ક્રોધ અને વડે બન્ને લકરનું યુદ્ધ ચાલ્યા કરે છે, તેમાં અનંત કાળ ગયો અને જાય છે પરંતુ તેનું આખરે શું થશે તે હે કમળલોચન! હું જાણતો નથી. આવી રીતે મેં તને સંતોષ તંત્રપાળના દર્શન કરાવ્યા અને તેની હકીકત પણ તને કહી બતાવી, કારણ કે તને તે સંબંધમાં ઘણું કૌતુક હતું. નિપિપાસિતા-સંતેષપત્રી, ભાઈ મકર્ષ! એ સંતોષની બરાબર બાજુ કમળના જેવી આંખોવાળી અને સુંદર મુખવાળી એક યુવાન બાળા દેખાય છે તે આ સંતેષ મહારાજની ભાર્યા છે અને તેનું નામ નિષ્કિપાસિતા છે. આ દુનિયામાં પાંચ ઇંદ્રિયના જુદા જુદા પાંચ વિષયો છે. શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ. સંસારી પ્રાણુઓ એમાં ઘણું આસકત રહે છે. આ સંતેષની પત્ની એ સર્વ ઇંદ્રિયના વિષયો ઉપરથી તૃષ્ણને દૂર રખાવે છે, મનને એવી બાબતની ઈચ્છા વગરનું કરે છે અને ઇંદ્રિયવિષયો તરફ રાગ કે દ્વેષ થતો હોય, અમુક વસ્તુ ગમતી હોય કે ન નમતી હેય, ભાવતી હોય કે ન ભાવતી હોય, પસંદ હોય કે નાપસંદ હોય-એ દ્વિધાભાવ છોડાવી દે છે; મતલબ એ ચિત્તને તૃણારહિત અને રાગદ્વેષ વગરનું બનાવે છે; કઈ બાબતમાં લાભ થાય કે ન થાય, સુખ થાય કે દુઃખ થાય, કેઈ સુંદર વસ્તુ સાથે સંયોગ થાય કે ખરાબ વસ્તુ સાથે સંબંધ થાય, તેમજ આહાર વિગેરે પિતાને મનગમતો મળે કે અણગમતો મળે, તો પણ આ નિપિપાસિતા ભાર્યા શાંતિ રખાવે છે, ધીરજ રખાવે છે, સ્થિરતા રખાવે છે. સર્વ સંક્ષેપ, (Summing up.) “વત્સ પ્રકર્ષ! માટે હવે તું સંકલ્પ છોડી દઈને આ ચારિત્રરાજને પરમાર્થથી ખરેખર નાયક (રાજા) તરીકે જાણુ. યતિધર્મ ૧ જે પ્રાણીની પ્રગતિ થવાની હોય તેના સંબંધમાં સંતોષ વિજય પામે છે, જે પ્રાણી પડવાને હોય તેના સંબંધમાં મહારાજા વિજય પામે છે; દરેકની ચિmત્તિ અટવી નહી તેથી દરેક મનુષ્યની, દેવની અથવા સંજ્ઞી પંચંદ્રિયોની ચિત્તવૃત્તિમાં મોહ અને સંતોષ વચ્ચે મારામારી ચાલ્યા કરે છે. ૨ આ યુદ્ધનું વર્ણન આવતા પ્રસ્તાવમાં વિસ્તારથી આવશે. ૩ નિપિપાસિતા તૃષ્ણારહિતપણું. સંતોષ સાથે એ બરાબર ઘટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy