SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૪] નદિવર્ધન મરણ-ઉપસંહાર. ९८७ ત્યાર પછી વળી એક નવીન ગોળી આપીને ભવિતવ્યતા અમને પંચાક્ષનિવાસ નગરમાં લઈ આવી અને અમને તેણે નળીઆનું રૂપ આપ્યું. આટલા અમે હેરાન થયા તે પણ એક બીજા પર અમારો ક્રોધ અને ઈર્ષ્યા જરા પણ ઓછા થયા નહિ. નળીઆ તરીકે પણ એક બીજાને પરસ્પર લાત મારતા અને પ્રહાર કરતા અમે અમારા શરીરને લોહીલોહાણ બનાવી દેતા હતા. એમ કરતાં કરતાં અમને આપેલી ગળીઓ જીર્ણ થઈ એટલે વળી નવીન ગળી તેણે (ભવિતવ્યતાએ) અમને આપી. વળી ત્યાંથી તે ગોળીના પ્રભાવથી પાપિચ્છનિવાસ નગરના શર્કરા પ્રભા નામના બીજા પાડામાં ભવિતવ્યતા અમને લઇ આવી. ત્યાં વળી અમારૂં બન્નેનું ઘણું ભયંકર રૂ૫ કરવામાં આવ્યું, અમે પણ એક બીજાને ટેટે પીસતા હતા અને પરમાધામ દેવતાઓ પણ અમને અનેક પ્રકારના ત્રાસ આપતા હતા તેમજ ક્ષેત્રની વેદના પણ પારાવાર હતી; તેને અનુભવતાં અમે મહા મુશીબતે ત્રામાં સાગરેપમ કાળ ત્યાં પૂર્ણ કર્યો. આવી રીતે એક વખત પંચાક્ષનિવાસ નગરમાં અને એક વખત પાપિષ્ટનિવાસ નગરમાં અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ધકેલા ખાતા અને પિલા ધરાધર સાથે વેર ખેડતાં ભવિતવ્યતાના ગે મેં અનેક નવાં નવાં રૂપ ધારણ કર્યા. અહો ભદ્ર અગૃહીતસંકેતે ! એક ગોળી પૂરી થાય કે વળી કહળથી એક બીજી ગોળી કર્મપરિણામ રાજા તરથી મને આપવામાં આવે અને ભવિતવ્યતા પણ એ ગોળી માટે એવી યોજના કરે કે મને અસંવ્યવહાર નગર સિવાય બીજા સર્વ નગરોમાં વારંવાર રખડવું પડે. આવી રીતે ઘાણીમાં જેમ તલ અહીંથી તહીં અને તહીંથી અહીં કુટાયા કરીને પીલાયા કરે તેમ એક (અસંવ્યવહાર) નગર સિવાય સર્વત્ર રખડતાં પછડાતાં મારે અનંત કાળ ગયે. ૧ ભુજપરિસર્ષ બીજી નરક સુધી જાય છે. શર્કરામભા બીજી નાકી છે. સાત નારકીઓનાં નામ નીચે પ્રપાણ છે: ઘમ, વંશા, સેલા, અંજણ, રિડા, મઘા અને માધવતી. તેઓનાં ગોત્રનાં નામ નીચે પ્રમાણે અનુક્રમે છેઃ (૧) રત્નપ્રભા. (૨) શકરપ્રભા, (૩) વાલુકાપ્રભા. (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા. (૬)તમપ્રભા, (૭) તમસ્તમઃ પ્રભા. ૨ પ્રાણી અવ્યવહાર નગરથી નીકળ્યા પછી પાછો નિગોદમાં જાય તો પણુ તે વ્યવહારી કહેવાય છે, કારણ કે તેને વ્યવહાર ચાલુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy