SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૦] મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી. ૬૫૫ નના તત્વનું દર્શન પ્રાણી પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ પ્રાણી તીથંકર મહારાજે બતાવેલ સર્વ દુઃખને નાશ કરનાર ગૃહસ્થધર્મને “અથવા સાધુધર્મને સ્વીકાર કરે છે. આવા પ્રકારની સામગ્રી પ્રા ણીને મેળવી ઘણી મુશ્કેલ છે અને તેટલા માટે રાધાવેધનું સાધવું “જેમ ઘણું જ મુશ્કેલ છે તેમ ધર્મની પ્રાપ્તિ થવી તે પણ ઘણું જ “મુકેલ છે એમ વારંવાર કહેવામાં આવ્યું છે. હવે જે તમને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ છે તો તેને પાળવામાં બને તેટલો ઉદ્યમ કરે “અને એ ધર્મની જેટલે અંશે પ્રાપ્તિ ન થઈ હોય તેટલે અંશે મેળવવાને માટે તે ભદ્ર જીવો! તમે પ્રયાસ કરે.” અરિદમને પૂછેલા નંદિવર્ધન સંબંધી સવાલ. એ વખતે અરિદમન રાજાએ વિચાર કર્યો કે-આ આચાર્ય ભગવાન તે કેવળજ્ઞાનરૂપ સાક્ષાત સૂર્ય છે, તેથી તે કોઈ પણ વાત અજાણ હોય જ નહિ, માટે આ ભગવાનને મારા મનમાં જે સંશય છે તે પૂછી જોઉં. અથવા તો આચાર્ય મહારાજને કેવળજ્ઞાન છે તો તેઓ મારા મનમાં રહેલ સંશય પિોતે પિતાથી જ જાણી શકશે અને મને જે હકીકત જાણવાની ઈચ્છા થઈ છે તે સમજી જશે અને મારા ઉપર કૃપા કરીને સર્વ હકીકત પોતે જ કહી બતાવશે. રાજા આ પ્રમાણે વિચારે છે તેવામાં ભવ્ય પ્રાણુઓને વિશુદ્ધ બોધ કરવાના ઉદ્દેશથી રાજાને સંબોધીને કેવળી ભગવાને કહ્યું – વિવેકાચાર્ય–“અરિદમન મહારાજ ! તમારા મનમાં જે સંદેહ છે તે વાણીથી છે.” અરિદમન-“ભગવદ્ ! હકીકત એમ છે કે આ નજીકમાં બેઠેલી મદનમંજાપા નામની મારી દીકરી છે. તેનો સંબંધ પરાજાના કુમાર નંદિવર્ધન સાથે કરવા માટે થોડા વખત પહેલાં અહીંથી મારા એક વચન નામના અધિકારીને જયસ્થળ નગરે મોકલ્યો હતો. તેને ગાયોને ઘણે વખત થયા છતાં જ્યારે તે પાછો આવ્યો નહિ ત્યારે તેનું શું થયું તે સંબંધી તપાસ કરવાને અહીંથી મેં કેટલાક મા સોને જયસ્થળ નગરે મોકલ્યા. થોડા વખત પછી જયસ્થળ નગ- એ પ્રમાણે તપાસ કરવા મોકલેલા પુરૂષએ પાછા રના સમાચાર. આવીને જણાવ્યું કે “એ જયસ્થળ નગર તે બળીને ભસ્મ થઈ ગયું છે અને જંગલને જેમ દવ લાગ્યો ૧ રાધાવેધઃ આડા અવળા ફરતા ચાર ચાર ચક્કરોની વચ્ચેથી નીચે તેલની કઢામાં જોઇ બાણને એવી રીતે પસાર કરવું કે ચક્ર ઉપર રહેલ રાધા નામની પુતળીની ડાબી આંખને તે વીંધી નાખે. આ પ્રયોગ ઘણા જ મુશ્કેલ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy