SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૭] દયાકુમારી. ૬૨૭ નિમિત્તીઆએ શિકારને બતાવેલ ઉપાય, રાજાના હુકમ પ્રમાણે વિદુર જિનમત નિમિત્તીઆને બેલાવવા ગયો અને થોડા વખતમાં તેને બોલાવીને પાછો આવ્યો. રાજાએ (મારા પિતાએ) નિમિત્તીઆને ગ્ય અણુમ કરી, યથોચિત માન આપીને તેને બેલાવવાનું કારણ કહી સંભળાવ્યું. નિમિત્તીઆએ બુદ્ધિનાડીનો સંચાર બરાબર તપાસીને પછી વિચારપૂર્વક તાતને કહ્યું “મહારાજ ! આ બાબતમાં એક ઘણો સારો ઉપાય છે. જે એ પ્રમાણે બની આવે તે કુમારને જે સ્ત્રી ઉપર આટલો બધો પ્રેમ લાગે છે તે મહા અનર્થ કરનાર હિંસા દેવી પિતાની મેળે જ દૂર નાસી જાય.” પઘરાજા–“એ ઉપાય શું છે તે આર્ય! આપ અમને સમજાવો.” નિમિત્તીઓ“મેં આપની સમક્ષ અગાઉજ કહ્યું હતું કે સર્વ ઉપદ્રવથી રહિત, સર્વ ગુણેનું નિવાસસ્થાન, કલ્યાણપરંપરાનું કારણ અને મંદભાગીઓને મળવું મુશ્કેલ એક ચિત્તસૌંદર્ય નામનું નગર છે. તે નગરમાં લેકેનું હિત કરનાર, દુષ્ટનો નિગ્રહ કરવામાં મહા ઉદ્યોગી, સારા માણસનું પરિપાલન કરવામાં ખાસ ધ્યાન આપનાર અને કેશ તથા દંડથી સમૃદ્ધ થયેલ શુભ પરિણામ નામને રાજા છે. એ રાજાને ક્ષાન્તિ નામની પુત્રીને જન્મ આપનાર નિપ્રકંપતા નામની દેવીનું પ્રથમ વર્ણન કર્યું હતું તેવી જ તે મહારાજાને એક બીજી ચાફતા નામની રાણું છે. તે લોકેના હિતને કરનારી, સર્વ શાસ્ત્રના અર્થની કસોટિ જેવી, સારાં અનુષ્ઠાનોને પ્રવર્તાવનારી અને પાપથી દૂર રહેનારી છે. ચારૂતા રાણી, { જ્યાં સુધી પ્રાણી એ ચારૂતા દેવીનું સમ્યગ્ન પ્રકારે સેવન કરતા નથી ત્યાં સુધી જ આ સંસારમાં તેઓ સર્વ પ્રકારનાં દુખે ભગવે છે અને ત્યાં સુધી જ તેઓ સ્વર્ગ અને મોક્ષને સુંદર માર્ગ લઈ શકતા નથી–પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે પ્રાણુઓ એ મહાદેવીની વિધાનપૂર્વક સારી રીતે સેવન કરે છે ત્યારે ૧ ચિત્તસૌંદર્યને વર્ણન માટે જુઓ પૃ. ૩૬૧-૨. ૨ શુભપરિણામ રાજના વિગતવાર વર્ણન માટે જુઓ પૃ. ૩૬૨-૩. ૩ ક્ષાન્તિના વર્ણન માટે જુઓ પૃ. ૩૬૫-૭, નિષ્પકપતાના વર્ણન માટે જુએ પૃ. ૩૬૩–૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy