SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ વિમલાનનાની સ્થિતિ અને વાળી થઇ ગઇ અને અત્યંત મુંઝવણમાં આવી પડી હેાય તેવી જણાવા લાગી; પછી તે તે વીણા પણ વગાડે નહિ, દડો ઉડાડવાની રમત કરે નહિ, શરીરપર મેંદી કે ચંદનનાં ચિત્રો કાઢે નહિ, ચિત્રકળા તથા બીજી કળાઓ પર જરા પણ લક્ષ્ય આપે નહિ, શરીર ઉપર શણગાર સજે નહિ, કોઇ કાંઇ પૂછે તે તેને કાંઇ ઉત્તર આપે નહિ, દિવસ છે કે રાત છે તેના વિચાર પણ કરે નહિ; માત્ર જાણે પાતે જોગણ ( યાગિની )' હાય તેમ આખાને જરા પણ હલાવ્યા ચલાવ્યા કે મટમટાવ્યા વગર કોઇને પણ અવલંબન કર્યાં વગર નિશ્રળ આંખે કોઇ વસ્તુનું ધ્યાન કરીને બેસી રહેવા લાગી. આવી હકીકત જોઈને તેમણે વર્ણવેલી માણસા સર્વ ગભરાઇ ગયા, પણ આવે મેટા ફેરફાર એકદમ શા કારણે થઇ ગયા તે સમજી શક્યા નહિ. તે સર્વદા પ્રેમપૂર્વક તેની નજીક રહેનારા તેનાં કારણે. હાવાથી તેઓને વિચાર કરતાં કરતાં યાદ આવ્યું કે–કુમાર શ્રીકનકશેખરનું નામ સાંભળ્યા પછી બહેનની આવી સ્થિતિ એકાએક થઇ આવી છે-તેટલા ઉપરથી ચાસ એમ જ લાગે છે કે એ નશેખરે આ બહેનનું મન ચાર્યું હશે. માટે આપણે વખત વિ ચારીને આ હકીકત પિતાજી નંદ્મન રાજાને જણાવવી કે જેથી બહેનના ચિત્તને ચારવાના ગુન્હા કરનારને એ રાજા અવશ્ય પકડી પાડી અરાખર સપાટામાં લે–(કારણ ચારને પકડવા એ રાજધર્મ છે)-એ પ્રમાણે વિચાર કરીને તેઓએ સર્વ હકીકત નંદન રાજાને જણાવી. પિતાએ વિચાર કર્યો કે-એની માએ ( પેાતાની સ્રી પ્રભાવતીએ ) તે એને જન્મ પહેલાં વિભાકર સાથે વેવિશાળ સંબંધથી જોડી દીધી છે, પણ ને હાલ હું એ દીકરીના સંબંધમાં કાંઇ નહિ કરૂં તે એના પ્રાણ રહેવા પણ મુશ્કેલ છે, માટે એને કનકશેખર પાસે મેાકલાવી દઉં-એ એની મેળે નકરશેખરને વરશે (પરણશે); આવી અવસ્થામાં તેના સંબંધમાં વખત કાઢવા ઢીક નથી, પછવાડેથી વિભાકરને સંભાળી લેવાશે–આવે વિચાર કરી તે તુરત જ વિમલાનના પાસે આવી કહેવા લાગ્યા ‘દીકરી ! જરા ધીરી થા, દીલગીર ન થા, તું કુશાવર્તનગરે કનકશેખર પાસે જા.’ એ પ્રમાણે મધુર વચનથી દીકરીને વાત કરીને વ્યવહારૂ ષિ તા. ૧ ચાગિની સાલંબન કે નિરાલંબન ધ્યાન કરે છે ત્યાર આવી એકાત્રવૃત્તિ કરે છે, સાચ્ચમાં ફેર છે, પણ બાહ્ય વર્તન તા યાગની જેવું જ છે. ૨ અહીં ચારી અલંકારિક અર્થમાં સમજવાની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy