SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭] નિષ્કમણત્સવ-દિક્ષા-દેશના. ૫૪૩ દીક્ષા અત્યંત નિર્મળ છે અને સર્વ સાવદ્ય (પાપ બંધાવનાર) મન “વચન કાયાના યોગોપર અંકુશ આણનાર છે. એ અત્યંત દુર્લભ છે દીક્ષા જ્યાં સુધી પ્રાણીને ઉદયમાં આવતી નથી, જ્યાં સુધી પ્રાણી તેનો લાભ મેળવી શકતા નથી, ત્યાં સુધી તેને અનેક પ્રકારનાં પારાવાર દુઃખ થાય છે, ત્યાં સુધી રાગ દ્વેષ અને તેનાં ભયંકર પરિણુંમો તેના પર પિતાની અસર બતાવ્યાં કરે છે, ત્યાં સુધી કર્મો પિતાનો પ્રભાવ તેના પર સ્પષ્ટ પણે દાખવ્યા કરે છે, ત્યાં સુધી “જન્મ મરણના ફેરા થયા કરે છે, ત્યાં સુધી અનેક પ્રકારની આપ“ત્તિઓ આવ્યા કરે છે, ત્યાં સુધી અનેક પ્રકારની પીડાઓ અને ઉપાધિઓ થયા કરે છે, ત્યાં સુધી પ્રાણુ બીજા માણસ પાસે ગરીબ “રાંક-બાપ-બીચારો થઈને બેલે છે, ત્યાં સુધી દુર્ગતિમાં જઈ અનેક દુઃખો સહન કરવાનો સંભવ રહે છે, ત્યાં સુધી અનેક પ્રકારના રેગ થાય છે અને ત્યાં સુધી અનેક પ્રકારના કલેશથી ભરપૂર “ભયંકર સંસાર સમુદ્રને અવકાશ મળ્યા કરે છે. જ્યારે કર્મ માર્ગ “આપે અને લોકનાથ શ્રી ભગવાન દેવની કૃપા થાય ત્યારે તિર્થંકર “મહારાજ શ્રી જિનેશ્વર દેવની બતાવેલી દીક્ષા પ્રાણીને પ્રાપ્ત થાય છે અને પછી પ્રાણીનાં સર્વ પાપ જોવાઈ જતાં જાય છે. તેથી પ્રાણી છેવટે જ્યાં સર્વ પ્રકારનાં આનંદ નિરંતર વતી રહેલ છે અને “દનિયાંના સર્વ કલેશની જ્યાં ગંધપણું નથી એવી ઉત્તમોત્તમ જગતિએ પહોંચી જાય છે અને ત્યાર પછી મેં જે ભયંકર ઉપદ્રોનું અગાઉ વર્ણન કર્યું તેવી સંસાર સંબંધી સર્વ ઉપાધિઓ તેનાથી દૂર “ચાલી જાય છે. આ સંસારમાં રહીને જે પ્રાણીઓ દીક્ષા ગ્રહણ “ કરે છે તેઓ ખરેખર અમૃતરસનું પાન કરે છે, તેઓને આ ભવમાં “પણ કેઇ પ્રકારની અડચણ થતી નથી અને તેઓ સુખથી ભરપૂર રહે છે. ભગવાન શ્રી જિનેશ્વર દેવના મતની આવી દીક્ષા આજે “તમને પ્રાપ્ત થઈ છે, તમે તે રાજીખુશીથી સ્વીકારી છે અને તેમ “ કરીને આ ભવસમુદ્રમાં પ્રાણુએ જે ખાસ પ્રાપ્ત કરવા ગ્ય છે તે તમે પ્રાપ્ત કર્યું છે. મારે તમને ખાસ ભલામણ કરીને કહેવાનું “એ જ છે કે હવે તમારે સર્વ પ્રમાદને છેડી દઈને એ દીક્ષા પાળવા “ માટે અને આત્માની પ્રગતિ કરવા માટે વારંવાર આખી જીંદગી સુધી પ્રયત્ન કર્યા કરે, કારણ કે દીક્ષા લીધી હોય છતાં પણ કમ ભાગ્યવાળા અધમ પુરૂષે પ્રમાદ વશ થવાથી તેને પાર પામી શકતા નથી. જે પ્રાણીઓ મનુષ્યમાં ઉત્તમ હોય છે તે જ તેને પાર પામે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy