SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ કર્મનું જાળું હતું તે તૂટી ગયું અને તેને પિતાને પણ ચારિત્ર (દીક્ષા) લેવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. એ ઉત્તમ ઈચ્છા ઉદ્યાનમાં આવતાં તુરતજ તેણે સુબુદ્ધિ મંત્રીશ્વરને, મધ્યમબુદ્ધિને, રાણું મદનકંદળીને અને સર્વ સામતિને કહી સંભળાવી. મહાત્મા પુરૂષનાં પડખાં સેવવાને આચિંત્ય પ્રભાવ હોવાને લીધે, કર્મને ક્ષયોપશમ વિચિત્ર રીતે કામ કરતા હોવાને લીધે અને સર્વ મનીષીના અકૃત્રિમ ગુણે તરફ રંજિત થઈ ગયેલા હોવાને લીધે તે સર્વનું આત્મવીર્ય પણ ઉછળ્યું તેથી તેને ઓએ રાજાનો અભિપ્રાય જાણીને જવાબમાં કહ્યું કે “સાહેબ ! આપે બહુ સારી વાત કરી, તમારા જેવાએ તેમ જ કરવું નિશ્ચય અને પ્રસં. યોગ્ય છે કારણ કે વિવેકી પ્રાણીઓને સંસારમાં બીજાં ગાનું રૂપસંભાષણ. કાંઈ પણે શ્રેષ્ઠ જણાતું જ નથી. પ્રભુ ! આ સંસા રમાં જે કઈ પણ વસ્તુ રમણુક હોય, વખાણ કરવા યોગ્ય હોય, સાર ભૂત હોય, ગ્રહણ કરવા યોગ્ય હોય કે સુંદર હોય તો તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ બરાબર સમજનારા વિશાળ બુદ્ધિવાળા મહા પુરૂષો કે જે આપ જેવાને પણ પૂજ્ય છે તેઓ સંસારને શામાટે ત્યાગ કરે?! આવા મોટા બુદ્ધિશાળી પુરૂષો કેદખાના જેવા સંસારને ત્યાગ કરતા જણાયા છે તેથી એમ સહજ જણાઈ આવે છે કે આ સંસારમાં સાર જેવું કાંઈ પણ નથી. આવો સંસાર જે અનેક પ્રકારના મોટા ભયને વારંવાર ઉત્પન્ન કર્યા કરે છે તેને જ્યારે માનીષી પણ ત્યાગ કરે છે ત્યારે જાણું, વિચારી, સમજીને ડાહ્યા માણસોએ તેમાં પડી રહેવું યોગ્ય નથી. અમે સર્વેએ મનીષીનું ચિત્ત બરાબર અભ્યાસ કરીને હમણું હમણું જોયું છે તેથી હવે અમારૂં મન પણ સંસાર તરફ રમણ કરતું નથી. જેવી રીતે તેના પ્રભાવથી દીક્ષા લેવાના વિચારો કરવા અમે હસવાળા થયા છીએ તેવીજ રીતે તેના વડે જ અમે સર્વ કાર્ય સંપાદન કરશું અને તેના વડેજ પરિપૂર્ણતા પામશે એમ અમને લાગે છે. તેથી ભગવાન શ્રી જિનેશ્વર દેવના મતની અત્યંત નિર્મળ અને સંસારને કાપી નાખનાર દીક્ષા અમે પણ લેવા ઈચ્છીએ છીએ તેથી તેને માટે આપશ્રી અમને રજા આપ.” શત્રુમર્દન રાજા–“ધન્ય છે તમારા વિવેકને! અને ધન્ય છે તમારા ગંભીર ચિત્તને ! તમારું વચન ચાતુર્ય તેમજ સર્વ સામાન્ય આત્મબળ ખરેખર વખાણને પાત્ર છે. તમે બહુ ધન્ય વાદ, સારો વિચાર ર્યો છે અને અમને આવાં વચન બોલી આટલે ઉત્સાહ આવે તે પણ બહુ સારું કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy