SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ મું. નિષ્ક્રમણાત્સવ–દીક્ષા—દેશના. સિ ાર્થ નામના જોશીને શત્રુમર્દન રાજાએ એટલાન્યા. તે આવી પહોંચતાં રાજાએ તેને આસન આપ્યું; ચેાગ્ય ક્રિયા ઉપચાર કરવામાં આવ્યા અને પછી તેને બેલાવવાનું પ્રયાજન કહી સંભળાવ્યું. નિમિત્તિયાએ આપેલ મુહૂર્ત, જોશીએ ત્યાર પછી ગણતરી કરીને કહ્યું કે આજથી નવમે દિવસે ચાલુ માસના ચાલુ પખવાડીઆની શુદ તેરશ ને શુક્રવારે ચંદ્રમાના ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર સાથે યાગ થાય છે. તે વખતે મહાકલ્યાણ કરનાર શિવયેાગ થાય અને તે દિવસે સૂર્ય ઉગ્યા પછી સવા બે પહેાર ગયે વૃષલગ્ન સાત ગ્રહ। ઉચ્ચ સ્થાને આવેલા હોય તેવું એકાન્ત નિરવદ્ય થાય છે-તે વખત બહુ સારા છે, શુભ કાર્ય કરવાના તે બહુ સુંદર સમય છે, માટે તે વખતે તેને ચારિત્ર ગ્રહણ કરાવવું. રાજાને અને મંત્રીને તે હકીકત ઘણી પસંદ આવી અને તે મુહુર્ત તેએએ સ્વીકાર્યું. ત્યાર પછી તે જોશીની યાગ્ય પૂજા કરી તેના સત્કાર કરી તેને વિદાય કરવામાં આન્યા અને તે દિવસ આનંદમાં પસાર થઇ ગયા. Jain Education International અઠ્ઠાઇ મહેાત્સવ, બીજા દિવસથી માંડીને રાજાએ પ્રમાદશેખર ચૈત્યમાં તેમજ નગરમાં આવેલાં ખીજા વિશાળ જૈન દેરાસરોમાં ઇંદ્રના મહોત્સવને પણ ભૂલાવી દે તેવા મોટા મહાત્સવ મંડાવ્યા, તેમજ જેને જે ોઇએ તે યા યા–એવી માટી ઘોષણા પૂર્વક માટાં મોટાં દાન આપવામાં ૧ સૂર્યોદયથી ૬ કલાક ગયે, બપોરે લગભગ પાણેવાગે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy