SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૩ વ્યય કરવા માટે બીજું વધારે ઊંચું કઈ પણ સ્થાન નથી. માટે આવી બાબતમાં ઘટતું હોય-ગ્ય લાગતું હોય તે આપ જાતે જ કરે! ગુરૂમહારાજ એ સંબંધી આજ્ઞા આપે નહિ. આપણે મનીષીને વિનતિ કરીએ કે દીક્ષા લેવામાં તે જરા ઢીલ કરે જેથી દ્રવ્યસ્તવ-મહોત્રાવ આપ કરી શકશે.” શત્રુમર્દન રાજાએ તેમ કરવાની સંમતિ બતાવી. ત્યાર પછી યોગ્ય માનપૂર્વક રાજમંત્રીએ મનીષીને વિજ્ઞપ્તિ કરી કે, રાજાનો વિચાર દીક્ષા મહોત્સવ કરવાનું છે તેથી જરા વખત આપે સંસારમાં રહેવું.” મનીષીએ પોતાના મનમાં વિચાર કર્યો કે આવી ધર્મની બાબતમાં વખત કાઢવો એ ઠીક નથી, છતાં મોટા માણસો કઈ બાબતમાં વિજ્ઞપ્તિ કરે તેમને ના પાડવી એ પણ અવિવેક ગણુંય અને અવિવેક કરવાનું પણ પિતાથી બને તેવું નથી એવા વિચારથી તેણે રાજા તથા મંત્રીની માગણી સ્વીકારી. અત્યંત ઉચ્ચ પ્રકારની દ્રવ્ય શુદ્ધિ, દેવવિમાન રચના, પરમાત્માના બિંબનું સિંહાસનમાં સ્થાપન, મનીષીને સ્નાન, પરમાત્માને અભિષેક, અભિષેકમાં ચારિત્રને અગ્રસ્થાન, ધન્ય નરેની પ્રભુકંકરતા, ત્યાર પછી રાજાએ પોતાના સર્વ મંત્રીઓને એકદમ કામે લગાડી દીધા અને કામ જલદી કરવા માટે સર્વને ઘણી સ્પષ્ટ રીતે હુકમો આપી દીધા. તે રાત્રે મંત્રી સામતોએ આખા જિનમંદિરની ચારે તરફ અને ઉપર એવા સુંદર પડદાઓ (વ) લટકાવી દીધાં કે મંદિરમાં કઈ પણ પ્રકારે ગરમી થાય નહિ, તડકે લાગે નહિ અને તેની શેભામાં હાની થાય નહિ. કસ્તુરી, કેશર, ચંદન અને કપૂરનું મિશ્રણ કરી તે મંદિર અને આંગણુનું તળીઉં સુંદર લેપથી અતિ સુશોભિત કરી દીધું. ગુંજારવ કરતાં ભમરાઓથી સેવાતા સંગીતને સુંદર સ્વર આપનાર પાંચ જાતિનાં અતિ સુગંધી ફુલે મંદિરમાં ઘુંટણ સુધી પાથરી દીધાં. અત્યંત કિમતી વસ્ત્રને અંદર બંધાવી દીધે જેને સોનાના થાંભલા મૂકીને તેની ઉપર સ્થિત કર્યો, તે ચંદરવા નીચે મણિઓ અને નાના નાના કાચ લટકાવી દીધા અને તેની ચોતરફ વધારે શોભા માટે મેતીની માળાઓ લટકાવી દીધી. ચારે બાજુએ એટલાં રવો ૧ આમાં દ્રવ્યસ્તવને અંગે ગુરૂકર્તવ્ય અને મનીષીનું અંતર ઔદાર્ય અને દક્ષિય અનુકરણીય છે, વિચારણીય છે, પ્રશસ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy