SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ રની વિડંબના અને પીડાઓ શા માટે સહન કરવી જોઈએ? એમાં લાભ શું છે? એથી અર્થ શું સરે છે? માટે મારે એ દીક્ષા લેવી તેજ ઉચિત છે. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં મનીષીના મનમાં દીક્ષા લેવાના પરિણામ દઢ થતાં ગયા. આચાર્ય મહારાજ અને બુદ્ધિ મંત્રીની અરસ્પરસ વાત સાંભળીને મધ્યમબુદ્ધિને પણ દીક્ષા લેવાના પરિણામ થયા. માત્ર એવું નૈષ્ટિક અનુષ્ઠાન પોતે કરી શકશે કે નહિ તે સંબંધી પિતાના મનમાં વિચાર કરતો હતો. સુબદ્ધિ “અમને જે ગૃહસ્થધર્મ અગાઉ આપે બતાવ્યો હતો તે એવા પ્રકારના વીર્યને પ્રકટ કરવાનું કારણ થાય કે નહિ ? આચાર્ય-“પરંપરાએ ગૃહસ્થ ધર્મ પણ એવા પ્રકારના વીર્યને પ્રકટ કરવાનું કારણે થાય ખરો, પરંતુ સાક્ષાત્ કોગૃહસ્થ ધર્મ અને ન ર ત ન થાય; કારણકે એ ગૃહસ્થ ધર્મ મધ્યમ દીક્ષાની સરખામણી. આ પ્રકારના પ્રાણીઓને યોગ્ય છે. એ ધર્મનું સારી રીતે સેવન કરવામાં આવ્યું હોય તો તે મધ્યમ વર્ગના પ્રાણીને ઉત્કૃષ્ટ વર્ગનો બનાવવામાં ઘણો જ સાધનભૂત થાય છે અને તેથી પરંપરાએ તે ઉત્કૃષ્ટતમ વિભાગમાં પણ પ્રાણીને લઈ જાય છે. આટલા માટે એને પરંપરાઓ કારણભત કહેવામાં આવ્યો છે. બાકી અત્યંત નિર્મળ તેમજ દુર્લભ દીક્ષા તો સર્વ કલેશેનો નાશ કરનારી અને સીધી રીતે સંસારને કાપી નાખનારી છે એ વાતમાં જરા પણ સંદેહ જેવું નથી. આ પ્રમાણે હકીકત છે છતાં મંત્રીધર ! ગૃહસ્થધર્મ પણ સંસારને ઘણે ઓછો કરી નાખનાર છે અને તેટલા માટે આ સંસારસમુદ્રમાં તેને પણ અતિ દુર્લભ સમજવો. આ સર્વ હકીકત કહેવાનો પરમાર્થ એ છે કે ભગવાનના મતની દીક્ષા પ્રાણને અતિશય વીર્યના યોગ વડે ચોક્કસ ઉત્કૃષ્ટતમ વિભાગમાં લાવી મૂકે છે, જ્યારે ગૃહસ્થ ધર્મ લંબાણથી ધીમે ધીમે તે સ્થિતિ પ્રાપ્ત કરાવે છે.” આ હકીકત સાંભળીને મધ્યમબુદ્ધિએ પોતાના મનમાં વિચાર કર્યો કે તીર્થકર મહારાજે બતાવેલે આ ગૃહસ્થધર્મ ભારે હાલ આદર એ ઠીક જણાય છે. ૧ નૈછિક અનુષ્ઠાનઃ દઢ, નિયમસરનું. એક વખત આદર્યા પછી આખા જીવન પર્યત તેવી જ સ્થિતિ રહે તેને નૈષ્ટિક અનુષ્ઠાન કહે છે. બાળપણથી બ્રહ્મચારી હોઈ આખી જીંદગી બ્રહ્મચર્ય ધારણ કરે છે તેને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવામાં આવે છે. ૨ મધ્યમબુદ્ધિ આવી રીતે કાળક્ષેપ કર્યા કરે છે. ત્રણેના વર્તનમાં અને નિશ્ચયમાં કેટલે ફેર પડે છે તે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy