SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ “ બળવાળા પુરૂષોને પણ ઇંદ્રિયા જીતી લે છે. ઇંદ્ર વિગેરે મહા શુ“ ક્તિવાળા પ્રાણી ત્રણે ભુવનને પેાતાની શક્તિથી એક આંગળી “ ઉપર નચાવી શકે છે તેવા જોરાવર પ્રાણીઓને પણ ઇંદ્રિયો એક “ ક્ષણવારમાં પોતાને વશ કરી લે છે. મોટા દેવ તરીકે ઓળખાતા ઃ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર (શિવ) જેવાને પણ એ ઇંદ્રિયો પા“ તાને વશ કરી લે છે તે એટલે સુધી કે તેઓ ઇંદ્રિયાના દાસ - “ ઈને રહે છે. સર્વ શાસ્ત્રોમાં પ્રવીણ હોય અને પરમાર્થના જાણકાર “ હાય એવા પ્રાણીઓ ઉપર પણ જ્યારે ઇંદ્રિયા પાતાનું સામ્રાજ્ય “ ચલાવે છે ત્યારે તે નાના માળકાની પેઠે વર્તે છે. એ ઇંદ્રિયા “ દેવતા, મનુષ્ય અને અસરોથી ભરેલા ત્રણે લોકને પોતાના બળથી “ રાંક તુલ્ય માને છે, તેની જરાએ દરકાર કરતી નથી અને તેની તરફ “ તિરસ્કારની નજરથી જુએ છે. તેટલા માટે હું રાજન્ ! એ ઇંદ્રિયા દુર્જાય છે એમ મેં કહ્યું છે, એ હવે તમારા સમજવામાં બરાબર “ આવ્યું હશે! ” ' ત્યાર પછી મનીષીની હકીકત જ્ઞાનથી જાણીને સૂરિ મહારાજ સર્વને બોધ આપવા સારૂ ખેલવા લાગ્યા; તે વખતે તેની દંતપંક્તિમાંથી નીકળતાં કિરણા વડે જાણે તેના હેાઠ રંગાઇ ગયા હોય નહિ તેવા લાગતા હતા. સૂરિ મહારાજ આગળ બેાલ્યા કે હું રાજન્! “ સર્વ ઇંદ્રિયાની તેા શી વાત કરૂં ? પણ એક સ્પર્શેન્દ્રિય પણ લોકોમાં ૮ મહા મળવાળી થઈને રહે છે. તે એટલી બધી બળવાન છે કે તેને એકલીને જીતવાને જગતના અનંત જીવે સમર્થ થઇ શકતા નથી “ જ્યારે તે એકલી સ્થાવર અને જંગમ (સ્થિર અને ચાલતા ) ત્રણે “ લેાકને જીતીને પેાતાના કબજામાં લઇ શકે છે અને તેઓને પેાતાને “ વશ રાખે છે. ' 66 સ્પર્શેયિના જય કરનાર પુરૂષા શત્રુમદેન— મહારાજ ! એ સ્પÅદ્રિયને જીતનાર કાઇ પણ મનુષ્ય હશે કે આ ત્રણ ભુવનમાં એ ઇંદ્રિયના જય કરનાર કોઇ પણ પુરૂષ-પ્રાણી હયાત હશેજ નહિ ?11 આચાર્ય—“ હે રાજન ! સ્પર્શેદ્રિય પર જય મેળવનાર પુરૂષો ૧ બ્રહ્માના સરસ્વતી સાથેના પ્રસંગ, કૃષ્ણના અનેક સ્ત્રીઓ સાથેના પ્રસંગ અને શંકરને ભીલડી સાથેનેા પ્રસંગ તેએ ઇંદ્રિયનું દાસત્વ કેવી રીતે સ્વીકારી ચૂક્યા હતા તે બતાવી આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy