SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ ] પ્રાધનરતિ આચાર્ય. ૪૭૩ કરીને નમસ્કાર કર્યા. આ સુકૃત્યથી તે મંત્રીશ્વર પેાતાના આત્માને બહુ ?તાર્થ-ધન્યભાગ્યશાળી સમજવા લાગ્યા અને પછી આનંદના આંસુ વડે આચાર્ય મહારાજના પગને સીંચતા આચાર્યના પગમાં પડ્યો. ગુરૂમહારાજને તેણે દોષ માત્રનેા નાશ કરનાર દ્વાદશાવર્ત વંદન કર્યું, મનમાં સમતાભાવ લાવીને પ્રસંગને અનુરૂપ માકીના સર્વ સાધુઓને તેણે ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા અને સૂરિ મહારાજે તથા સાધુઓએ તેને ‘ધર્મલાભ ’ આપ્યા. ત્યાર પછી એ સુબુદ્ધિ મંત્રી શુદ્ધ-જીવરહિત-પાતાને ચાગ્ય જમીનપર બેઠો અને તેણે તે વખતે સૂરિ મહારાજને સુખશાતા પૂછી. સૂરિમહારાજના ઉપદેશ, હવે આચાર્ય મહારાજે વિશેષ પ્રકારે ધર્મદેશના દેવા માંડી. દેશના દરમ્યાન તેઓએ પ્રથમ આ સંસારનું નિર્ગુણપણું બતાવ્યું; તેમાં બતાવી આપ્યું કે આ સંસાર મહા કનિષ્ટ છે, ખાસ તજવા યોગ્ય છે, તેમાં કોઇ પણ પ્રકારના લાભ કે વાસ્તવિક આનંદ જરા પણ નથી અને તે એકંદર રીતે આત્માને ઘણું નુકશાન કરનાર છે. એ સંસારને વધારનાર અને તેનું ખરેખરૂં કારણ કર્યો છે. તે કૌ મિથ્યાલ ( અશ્રદ્ધા અને અજ્ઞાન), અવિરતિ ( ત્યાગના અભાવ ), કષાય ( ક્રોધ, માન, માયા અને લાભ વિગેરે) અને યાગ (મન, વચન, કાયાની પ્રવૃત્તિ ) ને લઇને આત્મા સાથે બંધાય છે, તેથી ખરેખરી રીતે એ સંસારનું કારણુ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જ છે. વળી જો પ્રાણી બરાબર પુરૂષાર્થ કરે છે તે તે સર્વ કર્મથી મુક્તિ મેળવી નિર્વાણુ પામી શકે છે અને ત્યાર પછી તેને એકસરખા અર્નિશ આનંદ જ પ્રાપ્ત થાય છે અને ત્યાંથી ફરીને કદિ પણ સંસારમાં પાછા આવવાનું નથી. એ મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રાણીએ કેવી પ્રવૃત્તિએ આદરવી, તેમાં કેવાં કેવાં સાધને ાજવાં તે પણ બતાવ્યું. આવી રીતે સંસારનું નિર્ગુણપણું, કમઁહેતુ પર વિચારણા-વિવેચનયુક્ત લંબાણુ દેશના નિર્વાણુની મહત્તા અને તેને પ્રાપ્ત કરવાનાં સાધના પર આપી. મુનિ મહારાજ શ્રી પ્રોાધનતિ આચાર્યની અમૃતના સિંચન જેવી આ મધુર દેશના સાંભળીને પ્રાણીઓ માનસિક સંતાપ રહિત થઇ ગયા અને તેનાં મનમાં આનંદ આનંદ વ્યાપી રહ્યો. ૧ ગુરૂમહારાજને ત્રણ પ્રકારના વંદન થાય છે: ફિટ્ટા વંદન, ચેાભ વંદન અને દ્વાદશાવર્ત વંદન. (જીએ ગુરૂવંદન ભાષ્ય. ) એ ત્રણે વંદનનું ટુંકામાં સ્વરૂપ નીચે પ્રમાણે છે: મસ્તક નમાવી એ હાથ જોડી પ્રણામ કરવાથી ફિટ્ટા વંદન થાય છે. બે હાથ, બે જાનુ અને મસ્તક એ પાંચે અંગેને સંપૂર્ણ નમાવી બે વખત પ્રણામ કરવાથી થાભ વંદન થાય છે. દ્વાદશાવર્ત વંદન એ વાંદણા દેવાથી થાય છે. ( ગુરૂવંદન ભાષ્ય ગાથા ૧ અને ૪ ) ૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy