SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા થા. [પ્રસ્તાવ ૩ ck * 66 બતાવનાર ! ) તમને નમસ્કાર છે. અહા પ્રલીનઅશેષસંસારવિસ્તાર ! હે પરમેશ્વર ! તમને નમસ્કાર છે. હે વાક્યાતીત! ત્રણ લેાકના શેખર! તમને નમસ્કાર છે. સંસાર સમુદ્રમાં ડૂબતા “ અનંત પ્રાણીઓને તારનાર! મહા ભયંકર સંસાર રૂપ અટવીમાં સાર્થવાહનું કામ કરનાર"! તમને નમસ્કાર છે. હે પ્રભુ ! અનંત પરમાનંદપૂર્ણ ધામ ( મેક્ષ ) માં રહેલ આપ સાહેબને લોકો ભ“ ક્તિથી અહીં સાક્ષાત્ જુએ છે. જે એમ ન હેાય તે હે પ્રભુ ! “ તમારી મૂર્તિની સ્તુતિ કરનારા પ્રાણીઓનાં પેાતાના મનમાં જેવા “ પ્રમાદ આવે છે તેવા આનંદ ત્રણ ભુવનમાં બીજા કોઇ પણ “ પદાર્થમાં કેમ ન આવે? આપની મૂત્તિમાં મને તે આપના “ સાક્ષાત્કાર જણાય છે. હે નાથ ! જ્યાં સુધી સંસારી પ્રાણીઓનાં · ચિત્તના મધ્યભાગમાં આપ સાહેબ હાતા નથી ત્યાં સુધીજ .. ૪૭૦ * * ૧ પ્રલીનઅશેષસંસારવિસ્તારઃ સંસારના સર્વ વિસ્તાર-દેવ મનુષ્ય તિર્યંચ નારક ગતિનાં સર્વ દુઃખા જેએનાં નાશ પામી ગયાં છે અને તેથી જે પરમ ઐશ્વર્યને પ્રાપ્ત થયા છે. ઐશ્વર્ય છતાં ઉપાધિના નાશ થયા છે એ તેમની વિશેષતા છે. ૨ વાક્યાતીતઃ પ્રભુમાં એટલા બધા ગુણા છે કે વચનાથી તેનું વર્ણન કરવું અશકય છે. હજારા જીભથી કરોડો વર્ષ સુધી ગુણનું વર્ણન કરવામાં આવે તે પણ તેમના ગુણેા પૂર્ણ કહેવાય નહિ તેથી તેઓને વાકયથી અતીત' કહ્યા છે. લોકોમાં તેમના જેવા કાઇ ન હેાવાથી સર્વના લેાકેાના શેખર તુલ્ય છે. ૩ ત્રણ લાકના શેખરઃ મસ્તક પર જેમ મુગટ રહે તેમ તે ૪ તારનારઃ સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને બચાવવાનું કામ ઘણું વિકટ છે, પ્રભુનું ‘નિોમક’ વિશેષણ છે તેને આ વિસ્તાર છે. ૫ સાર્થવાહઃ ભયંકર જંગલમાં ફાડી ખાનારા જનાવરા તેમજ લુંટારાના મેટા ભય હોય છે. આવી અટવી સાર્થવાહના સથવારા વગર એળંધી શકાતી નથી. સંસારઅટવીમાં વિકારાને તેવાજ આકરા ભય છે. એ ભયંકર અટવીમાંથી પ્રાણીને પ્રભુ યોગ્ય માર્ગે દેરી જઇને અટવીને બીજે છેડે મૂકે છે. પ્રભુના સાર્થવાહ ' વિશેષણ પર આ વિસ્તાર છે. " - ભક્તિથી સાક્ષાત્કારઃ આપ તે મેાક્ષમાં બિરાજમાન છે, પણ ભક્તિપૂર્વક આપને નમનારા લોકો અહીં-આ સંસારમાં પણ આપને જુએ છે. મૂર્ત્તિ પૂજાને। આ ચમત્કાર છે અને ભક્તિયાગનું માહાત્મ્ય સમજનારા તે બાબત પેતાના ખ્યાલમાં ખરાખર લાવી શકે છે. ૭ પ્રમેાદઃ દ્રવ્યના નિમિત્તથી ભાવ કેવા પ્રકારના થાય છે તે એક વખત અમૃતક્રિયાને અનુભવ કરતી વખતે જ ખબર પડે. મયણાસુંદરીનું શાસ્ત્રપ્રસિદ્ દૃષ્ટાન્ત અહીં વિચારવા ચેન્ગ્યુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy