SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ રાજે તે ત્રણેને મધુર વાક્યથી ધર્મલાભ કહ્યો અને પ્રેમથી બોલાવ્યા. પછી તેઓ જમીન પર બેસી ગયા. શત્રુમર્દન રાજાનું ઉદ્યાનાગમન - હવે સૂરિ મહારાજ ઉદ્યાનમાં પધાર્યા છે એ વાત લેક પાસેથી જિનભક્ત સુબુદ્ધિ મંત્રીએ જાણું એટલે તે સંબંધમાં પાકી તપાસ કરીને મુનિવંદન કરવા માટે શત્રુમર્દન રાજાને તેણે પ્રેરણું કરતાં કહ્યું સાધુ મહાત્માના પાદચંદનથી જેઓ આ જન્મમાં પોતાના આ ત્માના પાપપંક (કચરો) ને ધોઈ નાખે છે તેઓ મહા ભાગ્યવાન છે અને તેઓ ખરેખર ડહાપણવાળા છે.” સુબુદ્ધિ મંત્રીનાં આવાં વચન સાંભળીને મદનકંદળી અને બીજી અંતઃપુરની રાણીઓ સહિત શત્રુમર્દન રાજા આચાર્ય મહારાજને વાંદવા માટે ઉધાન તરફ જવા સારૂ બહાર નીકળે. રાજાને એ પ્રમાણે ઉદ્યાનમાં જતા જોઈને નગરના લેકેને અને સૈન્યને પણ આશ્રયે ઉત્પન્ન થયું અને તેઓ પણ રાજાની પછવાડે ઉઘાન તરફ ચાલ્યા. મહા બળવાળા શત્રુમર્દન રાજા ઉદ્યાનમાં આવેલા ચેત્યમાં બિરાજમાન શ્રીયુગાદિદેવને પગે પડ્યા અને અંતઃકરણમાં ઘણે હર્ષ લાવીને પ્રબોધનરતિ આચાર્યને નમ્યા તેમજ બીજા સર્વ સાધુઓને નમસ્કાર કર્યો. પછી ગુરૂ મહારાજે અને સાધુઓએ તેને આશીર્વાદ દીધે ત્યારે વિનયથી પિતાનું માથું નમાવીને રાજા જમીનપર બેઠે. સુબુદ્ધિની પૂજા અને સ્તુતિ, સુબુદ્ધિ મંત્રીએ પણ યુગાદિપ્રભુના ચિત્યમાં આવી તીર્થંકર ભગવંતના પદકમળમાં નમસ્કાર કર્યો અને દેવપૂજન સંબંધી ક્રિયાઓ બહ વિચારણા પૂર્વક કરી. તેમાં ધૂપ, દીપાદિવડે દેવપૂજન કરતી વખતે ૧ ધર્મલાભઃ સાધુને કોઈ વંદન કરે ત્યારે તેઓ “ધર્મલાભ” એટલા અક્ષર બેલે છે. એ જૈન પરિભાષાને શબ્દ છે. એને આશય ઘણે ગંભીર છે. વંદન કરનારને ધર્મનો લાભ–પ્રાપ્તિ થાઓ એ આશીર્વાદ છે અને ધર્મ એ સર્વસ્વ હે પ્રાણને સંસારથી ઊંચે લાવનાર છે. ૨ આગેવાનનું અનુકરણઃ આગેવાન પુરૂષને લોકો હમેશાં અનુસરે છે, કોઈ વિસ્મયથી અને કોઇ કૌતુકથી પણ તેનાં કાર્યોને અનુસરે છે અને આમ હોવાથી આગેવાન પુરૂષોએ પોતાનો વ્યવહાર સ્વ અને પરના હિત ખાતર બહુ ઊંચા પ્રકારને રાખવાની ખાસ જરૂર છે. ૩ આશીર્વાદમાં સાધુઓ ધર્મલાભ એટલુંજ કહે છે. સંસાર સમુદ્રથી તારનાર ધર્મ તને મળે એ મહા પ્રશંસનીય આશિસ છે. જુઓ ઉપરની નોટ ના. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy