SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ અને પોતે બાળને ઉપાડીને પશ્ચિમ દિશા તરફ આકાશમાં ચાલવા માંડ્યું. “અરે દુષ્ટ વિદ્યાધર ! તું મારા ભાઈને લઈને ક્યાં જાય છે?” એ પ્રમાણે રાડ પાડતે પોતાની તરવાર ખેંચીને તે વિદ્યાધરને માર્ગે જમીનપર મધ્યમબુદ્ધિ પણ ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં નગરની બહાર નીકળી ગયો. ત્યાં તો પેલે વિદ્યાધર આકાશમાં ઉડતો હોવાથી એટલે દૂર નીકળી ગયું કે તે દેખાતે પણ બંધ થઈ ગયે. તે વખતે મધ્યમબુદ્ધિ તદ્દન નિરાશ થઈ ગયે તે પણ પિતાના બંધુ ઉપરના સ્નેહને લીધે તે દોડવાનું ચાલુ જ રાખ્યું અને મનમાં ધાર્યું કે આગળ ઉપર કેઈપણ જગાએ બાળને પેલે વિદ્યાધર છેડી મૂકશે. આવી રીતે દેડતાં દેડતાં મધ્યમબુદ્ધિએ રાત પૂરી કરી, તેના પગમાં પાદરક્ષક (પગરખાં-જોડાં) નહિ હોવાથી અનેક કાંટા અને ખીલા ખીલીઓ તેને વાગ્યાં, ચાલવાના શ્રમથી તે તદ્દન થાકી ગયો, સુધાથી તે પીડાવા લાગ્યો, તૃષાથી તે હેરાન થવા લાગ્યું, શેકથી તે વિહળ થઈ ગયે, દીનતાથી તે લેવાઈ ગયે, છતાં પણ પશ્ચિમ દિશા તરફ ચાલતાં, અને ગામેગામ પોતાના ખેવાયેલા ભાઈની ખબર પૂછતાં, તે સાત રાત અને સાત દિવસ રખડ્યો, ત્યારે આખરે તે કુશસ્થળ નામના નગરે આવી પહોંચ્યો. કુશસ્થળ નગરે કુવા કાંઠે. નંદને આપેલે બાળનો પત્તો બાળ મધ્યમને આખરે મેળાપ, કુશસ્થળ નગરના બહારના ભાગમાં મધ્યમબુદ્ધિ જરા રોકા. ત્યાં એક બીલકુલ વપરાશમાં નહિ આવતે જુન ઊંડે કે તેના જોવામાં આવ્યું. પછી પોતાના ભાઈ વગર આ જીવતરની શી જરૂર છે એમ વિચાર કરીને તે કુવામાં ડૂબી મરવાના નિર્ણયથી તેણે ગળા સાથે એક મોટો પથ્થર બાંધ્યો. તે વખતે તે બાજુએ એક નંદન નામને રાજપુરૂષ આવી ચડ્યો. તેણે મેટેથી બુમ મારી કે- સાહસ ન કર, સાહસ ન કર!' આ પ્રમાણે બેલતે તે મધ્યમબુદ્ધિની પાસે આવી પહોંચે અને કુવાની પાળ ઉપર જે વખતે મધ્યમબુદ્ધિ ઊભો રહી અંદર પડવાની તૈયારીમાં હતો તે વખતે એ નંદને તેને થોભી રાખે, તેને ગળેથી પથ્થર છોડાવી નાંખે, તેને જમીન પર બેસાડયો અને પછી આવું અધમ પુરૂષને ગ્ય આપઘાતનું કામ કરવાનું કારણ મધ્યમબુદ્ધિને તેણે પૂછયું. તેના જવાબમાં મધ્યમબુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy