SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ ] મદનકંદળી, ૪૩૩ નિંદા કરે છે છતાં એ બાળ પિતાના મનમાં માને છે કે આપણને તો માતાજી અને સ્પર્શનની કૃપાથી લીલા લહેર છે, લેકેને બોલવું હોય તે ભલે બોલો! એ લોકો શું બોલે છે તેની ચિંતા કરવાથી સર્યું. તેમ કરવાની કોઈ જરૂર પણ નથી. વળી અકુશળમાળા જેણે તેના શરીરમાં પ્રવેશ કર્યો હતો તે પણ વચ્ચે વચ્ચે કઈ કઈ વાર તેના શરી૨માંથી બહાર આવીને પિતાની અદ્ભુત યોગશક્તિનું કેવું સારું પરિણુમ આવ્યું છે તે સંબંધી બાળને સવાલ કરે છે ત્યારે આપણું આ ભાઈસાહેબ પોતાના માતાજીને જવાબ આપે છે કે “માતાજી ! મારા ઉપર તો તમે જરાપણ શંકા વગર માટે ઉપમાતાને કાર કર્યો છે અને આપે તે મને મેટા સુખસાગવિજ્ઞપ્તિ. રમાં પ્રવેશ કરાવ્યો છે. હવે માતાજી ! હું એક બીજી વિનતિ કરું છું કે મહેરબાની કરીને તમારે મારા આખા જીવનપર્યત આ મારા શરીરને ત્યાગ ન કરો.” અકશળમાળાએ એ વાત અંગીકાર કરી અને તેને જણુવ્યું કે “બીજું સર્વે કામ મૂકી દઈને હું તારું કામ કરી આપીશ.” આવી રીતે બાળે માતા પિતાને અનુકૂળ અને સ્વાધીન થયેલી જોઈને મનમાં વિચાર કર્યો કે સ્પર્શન મિત્ર તે મારે વશ છે જ, સામગ્રી પણ સર્વે અનુકૂળ થઈ ગઈ છે અને માતાજી પણ મને પિતાનું યોગબળ બતાવ્યા કરે છે, તેથી ખરેખર, આ દુનિયામાં હું મોટો ભાગ્યશાળી છું. મારા જેટલે અને જેવો સુખી આ દુનિયામાં બીજે કઈ હોય એમ મને લાગતું નથી. આવા આવા વિચાર કરીને પોતાની કુટેવોમાં બાળ વધારે ચુસ્ત રહ્યા કરે છે. મધ્યમબુદ્ધિની સલાહ બાળનું આવું વર્તન જોઈને લોકે તેની બહુ નિંદા કરે છે તેથી એહને લીધે મધ્યમબુદ્ધિ જેને લોકઅપવાદને ઘણે ભય રહ્યા કરે છે તે એક દિવસ તેને કહેવા લાગ્યો “ભાઈ બાળ! તારે આવી રીતે લોકવિરૂદ્ધ કરવું તે કઈ પણ રીતે ઉચિત નથી. તું જે કાર્ય કરે છે તેનું પરિણામ વિચારતા નથી. અગમ્ય વસ્તુ ત્યાગ કરવા ગ્ય છે, તેના તરફ ગમન કરીને તું બહુ પાપ કરે છે, તેમ કરવું તે અતિ તિરસ્કાર–નિંદાને ગ્ય છે, પાપથી ભરપૂર છે અને કુળને કલંક લગા ડનાર છે.” બાળે જવાબમાં કહ્યું “ભાઈ મધ્યમસલાહની બુદ્ધિ! તને મનીષીએ છેતર્યો હોય એમ જણાય છે, અવગણના, નહિ તે સ્વર્ગમાં વસનાર છે જેવું સુખ ભેગવે છે તેવું સુખ ભોગવતાં મને તું આવી નજરથી કેમ પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy