SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩. હતી તેનું કારણ એ દૂર બેઠેલી પાપી સ્ત્રી (ભેગણું) જ છે. તમારે બન્નેનો એમાં કાંઈ દેષ નહે. તમે બન્ને તો સ્વરૂપથી તદ્દન નિર્મળ છે, પણ તમારામાં જે દે દેખાયા હતા અથવા દેખાય છે તેનું કારણ એ સ્ત્રી છે. આ જગ્યાએ રહી શકવાને તે અશક્ત હોવાથી તે બહાર જઈ દૂર ઊભી રહીને તમારી રાહ જુએ છે અને તમે મારી પાસેથી બહાર ક્યારે નીકળો તેની તપાસ રાખ્યા કરે છે.” વિચક્ષણ અને કાળા–“ભગવાન ! ત્યારે એ પાપી ભેગતૃષ્ણથી અમારે હંમેશને માટે છુટકારે ક્યારે થશે ?” તૃષ્ણામોચનની ચાવીઓ, આચાર્ય–“હાલ આ ભવમાં તે તમારે તેનાથી સર્વથા છુટકાર થઈ શકશે નહિ, કારણ કે તમે એને હાલ સર્વથા છેડી શકો “એમ જણાતું નથી; પણ એને સંપૂર્ણપણે દળી નાખે એવું સમ્ય દર્શન રૂપ મુગર આજે તમને પ્રાપ્ત થયું છે; એ સમ્યગ્દર્શનને “તમારે સદ્ગુરૂ સાથે વધારે વધારે સંબંધ રાખીને વારંવાર વધારે ને “વધારે જાગૃત કર્યા કરવું, એ ભેગતૃષ્ણને અનુકૂળ થાય એવું કઈ પણ કામ તમારે બનતા સુધી કરવું નહિ, એના સંબંધમાં આવવાથી મનમાં વિકાર કેવા પ્રકારના થાય છે તેને બરાબર ઓળખી “લેવા, એવા પ્રકારના વિકારના પ્રસંગ આવે કે તરત તેનાથી ઉલટી “ભાવનાઓ નિરંતર મનમાં તૈયાર રાખી એ વિકારની સામે થવું“આ પ્રમાણે જે તમે વારંવાર કર્યા કરશે તે તે (ભેગતૃણું) તમારા શરીરમાં રહેશે તે પણ પાતળી પડતી જશે અને તમને “જરા પણ હેરાનગતી કરી શકશે નહિ, ત્રાસ આપી શકશે નહિ. અને અગવડમાં ઉતારી શકશે નહિ. આગળ ભવાંતરમાં તમે એ “પ્રમાણે કરવાથી એ ભેગતૃષ્ણનો સર્વથા ત્યાગ કરવાને જરૂર શક્તિમાનું થશે. કાળજ્ઞ વ્યંતર અને વિચક્ષણું વ્યંતરી આ હકીકત સાંભળીને બહુ રાજી થયાં અને પ્રભુ! આપે અમારી ઉપર બહુ કૃપા કરી” એમ બોલતાં આચાર્ય ભગવાનના પગમાં પડ્યાં. હવે આ બનાવ જોઈને અને આચાર્ય મહારાજનાં વચન સાંભળીને ઋજુ રાજા, પ્રગુણુ રાણી, ૧ સદર્શનઃ શુદ્ધ દેવ ગુરુ ધર્મ ઉપર શ્રદ્ધા. એ સમ્યમ્ દર્શનથી ઉલ્કાતિ ધીમે ધીમે વધતી જાય છે અને ભગતૃષ્ણાના સ્વરૂપનું જ્ઞાન થવાથી ધીમે ધીમે તેનો ત્યાગ થતાં છેવટે તેનાથી સર્વથા મેક્ષ થાય છે, તેથી એ દર્શનને મુગર કહેવામાં આવ્યું. ભગતૃષ્ણના ત્યાગને ઉપાય આચાર્યશ્રી બતાવે છે તે ખાસ વિચારવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy