SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] સ્પર્શનની યોગશક્તિ. ૪૦૫ આપીશ.” માળે આ નવી વાત સાંભળીને કહ્યું “ જો એમ હોય તા, માતાજી ! મહેરબાની કરીને હાલ તુરતજ એ કુહળ બતાવવાની કૃપા કરે એવી મારી વિનંતિ છે. ” અકુશળમાળાએ જવાબમાં કહ્યું “ જ્યારે મારી યોગશક્તિને પ્રયાગ અજમાવીશ ત્યારે તને તે સંબંધી સર્વ હકીકત કહીશ. ’ શુભસુંદરીની વિચક્ષણ સલાહ. જેવી રીતે માળે પેાતાની માતા અકુશળમાળાને સ્પર્શન સંબંધી સર્વ હકીકત કહી સંભળાવી તેવી રીતે મનીષીએ પણ પેાતાની માતા શુભસુંદરી પાસે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યેા. સર્વ હકીકત સાંભળીને વિચક્ષણ શુભસુંદરીએ કહ્યું “ વત્સ ! એ પાપી મિત્ર સાથે તારે જરા પણ સંબંધ રાખવા તે કોઇ પણ રીતે મને ઉચિત લાગતું નથી, કારણ કે એ સ્પર્શનના પરંપરાએ પણ પરિચય કરનારને અનેક દુઃખા પ્રાપ્ત થાય છે. ” મનીષીએ કહ્યું “ માતાજી ! આપ કહેા છે. તે મરામર છે, પણ આપે એ સંબંધમાં જરા પણ ભય કરવાનું કારણ નથી. હું એ સ્પર્શનને એના ખરા સ્વરૂપમાં ઓળખી ગયો છું તેથી એ મને વશ કરવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે તે પણ હું તેનાથી છેતરાવું તેમ નથી. ફક્ત હાલ હું તેના ત્યાગ કરતે નથી પરંતુ તેવા ત્યાગને માટે યાગ્ય અવસરની રાહ જોયા કરૂં છું; કારણ કે એને મેં મિત્ર તરીકે એક વખત સ્વીકાર્યાં છે તે પછી અકાળે તેને એકદમ તરછોડી નાખવા એ મને ઠીક લાગતું નથી. ” શુભમુંદરીએ આ પ્રમાણે પુત્રનાં વચન સાંભળીને કહ્યું “ વત્સ ! એ વિચાર તેં ઘણા સારા કર્યો જણાય છે. ખરેખર તારૂં વ્યવહારકુશળપણું ચાગ્યછે, તેમજ તારા વત્સળભાવને, નીતિમાñ વર્તવાની તત્પરતાને, ગંભીરતાને, તેમજ સ્થિરતાને ધન્ય છે. વ્યવહારના એક નિયમ છે કે જેને એક વખત ગ્રહણ કર્યો હાય તેનામાં કાંઇ દોષ હોય તેા પણ સજ્જન માણસે તેના અકાળે ત્યાગ કરતા નથી, જેમકે તીર્થંકર મહારાજ ગૃહસ્થપણામાં હોય છે ત્યારે તે ગૃહસ્થપણાના અકાળે સાગ કરતા નથી ( યોગ્ય અવસરેજ તજે છે )`. વળી જેને એકવાર ગ્રહણુ કર્યું-સ્વીકાર્યું તેમાં કાઇ દાષા હોય તેપણ તેના જો અકાળે ત્યાગ કરવામાં આવે તે સજ્જન પુરૂષામાં એવી રીતે અકાળે ત્યાગ કરનાર પ્રાણી નિંદા પામે છે અને પોતાના સ્વાર્થ સાધી શકતા નથી; પરંતુ ૧ તીર્થંકરા ઘરના દોષ જાણે છે, છતાં અવસરેજ તેને ત્યાગ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy