SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨] ક્ષાન્તિકુમારી. ૩૭૩ કરવી. ” “ જેવા મહારાજાના હુકમ !” એમ કહી વિદુર ત્યાંથી ચાલી નીકળ્યો. મારા પિતાશ્રી પણ સંભામંડપ છેોડી મહેલમાં ગયા અને ત્યાર પછી તેમણે દિવસને યોગ્ય સર્વ કરણી કરી. બીજે દિવસે વિદુર મારી પાસે આવ્યા, મને તેણે પ્રણામ કર્યા અને મારી પાસે બેઠો. મેં પૂછ્યું “વિદુર ! કાલે કેમ જણાયા નહિ?” વિદુરે પોતાના મનમાં વિચાર કર્યો કે મહારાજા સાહેબે મને આજ્ઞા કરી છે કે મારે કુમારના અભિપ્રાયની ખરાખર પરીક્ષા કરવી અને તે ઉપર નજર રાખવી. પેલા નિમિત્તિયા પાસેથી દુર્જનની સાખત કરવાથી કેવાં ભયંકર પરિણામા આવે છે તેપર એક વાર્તા સાંભળી હતી તેજ વાર્તા આજે કુમારને કહી સંભળાવું, જેથી તેના મનમાં કેવા ભાવા વળે છે તે બરાબર જણાઇ આવશે. આવેા વિચાર મનમાં કરી વિદુરે પ્રગટપણે કુમારની સામું જોઇ કહ્યું “ કાલે કાંઇ જોવા-જાણવા જેવું થયું હતું. મેં કહ્યું. વળી એવું તે શું હતું ?” વિદુર્—‹ એક મજાની વાર્તા સાંભળી. ” મેં કહ્યું— તે કથા કેવી હતી ? કહી તેા સંભળાવ ! ” વિદુર હું તે કથા ખરાખર કહું છું, પણ મારે તે ખાસ ધ્યાન રાખીને સાંભળવી, મેં કહ્યું—“હું બરાબર ધ્યાન રાખીને સાંભળું છું, ચલાવ. વિદુરે વાત કહેવા માંડી તે નીચે પ્રમાણે હતીઃ~~ ૧ અક્ષળ્યું એટલે ફુરસદ અથવા પ્રત્યેાજન. કાંઇ મજાનું કામ હતું તેથી આન્યા ન હેાતા. ક્ષળ એટલે ફુરસદ ઉપરથી ભાવવાચક નામ થયેલ શબ્દ છે. Jain Education International ૨ અહીં સ્પર્શેન્દ્રિયને વશ થવાથી કેવાં ભયંકર પરિણામ થાય છે તે ખતાવવા કથા શરૂ કરી છે. વિદુર આ વાત નંદિવર્ધન પાસે કહે છે-એ સર્વે સંસારીજીવ સદાગમ સમક્ષ અગૃહીતસંકેતાને ઉદ્દેશીને કહે છે. અહીંથી શરૂ થતી વાર્તા પ્રકરણ ૧૭ને અંતે પૂરી થશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy