SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧] નંદિવર્ધન અને વૈશ્વાનર. ૩૫૫ વૈશ્વાનર- મોટી કૃપા થઇ. કુમારના હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.' વિદુરના રિપોર્ટ. હવે મારા પિતા પદ્મ રાજાએ એક દિવસ રાજવલ્લભ વિદુર નામના સેવકને બેલાવીને કહ્યું, “અરે વિદુર! કુમાર મંદિવર્ધનને જ્યારે કળાચાર્ય પાસે અભ્યાસ કરવા મૂક્યો ત્યારે મેં તેને હુકમ કર્યાં હતા કે હાલ તેણે કળાગ્રહણ કરવામાંજ માત્ર ધ્યાન આપીને અભ્યાસ કરવા. મેં તેને એટલા સખ્ત હુકમ કર્યો હતા કે તેણે મને મળવા પણ આવવું નહિ, કારણ કે તેથી ભણવામાં એકાગ્રતા રહે નહિ. મેં તેને વખતેજ જણાવી દીધું હતું કે વખતો વખત મને ચોગ્ય લાગશે ત્યારે તેના અભ્યાસગૃહમાં હું જાતે આવીને તેની મુલાકાત લઇ જઇશ; પરંતુ અહીં રાજ્યકાર્યમાં અનેક પ્રકારની વ્યાકુળતા રહેતી હાવાથી મારાથી ત્યાં જવાનું બની શકતું નથી. આ પ્રમાણે હકીકત છે તેથી તારે દરરોજ નિશાળે જઇ કુમારની તંદુરસ્તી અભ્યાસ વિગેરે હકીકતની જાતે તપાસ કરી મારી પાસે નિવેદન કરવી.” વિદુરે રાજ્યઆજ્ઞા માન્ય કરી. વિદુરને હુકમ. મારા પિતા પદ્મ રાજ્યના હુકમને અનુસરીને વિદુર મારી ખબર લેવા દરરાજ આવવા લાગ્યા, એટલે મારા સહાભ્યાસી બીજા રાજકુમારોને તથા કળાચાર્યને હું કેટલી હેરાનગતી કરતા હતા, સર્વને કેવા અને કેટલા ત્રાસ આપતા હતા તે સર્વ તેના જેવામાં આવ્યું. જે મારા પિતાને એ વાત જણાવવામાં આવશે તે તેમને આઘાત લાગશે એ વિચારથી વિદુરે આ સર્વ હકીકત કેટલાક વખત સુધી તે મારા પિતાને કહી નહિ, પણ દરરોજ મારા તરફના ત્રાસ વધતા જતા જોઈને એક દિવસ પિતાશ્રી પાસે એણે સર્વ હકીકત જણાવી. પિતાશ્રીએ તે સાંભળીને વિચાર કર્યો કે આ વિદુર કદિ ખાટું મેલે નહિ અને કુમાર કદિ એવું અયોગ્ય આચરણ કરે નહિ. ખરેખર, આમાં સત્ય રહસ્ય-સાચી વાત. શું હશે તે સમજી શકાતું નથી. વિદુર કહે છે તે પ્રમાણે જો કુમાર કળાચાર્યને પણ ત્રાસ આપતા હોય તો પછી કળાના અભ્યાસ કરવાનું પ્રયોજન જ શું રહે છે ?' આવા આવા વિચારથી મારા પિતાના મનમાં બહુ દુઃખ થયું અને ચિંતા થવા વિદુરનું અવલાકન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy