SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ-૨ એકજ ઓરડામાં જે લોકો સાથે વસે છે તેઓ અરસ્પરસ અત્યંત પ્રેમ દર્શાવતા સાથે શ્વાસ લે છે, સાથે શ્વાસ પાછો મૂકે છે, સાથે આહાર લે છે, સાથે નિહાર કરે છે, એક મરણ પામે છે એટલે બીજા તેના સર્વ સેહીઓ સાથે મરણ પામે છે, એક જીવે છે ત્યારે બીજા સર્વ જીવે છે–આ પ્રમાણે તેઓ અન્ય સ્થાનના ગુણ નહિ જાણતા હોવાને લીધે અને એક બીજા સાથે સ્નેહથી જોડાયેલા હોવાને લીધે પોતાની મેળે તેઓ એ બાબતમાં (અન્યત્ર જવાની બાબતમાં) કેવી રીતે પ્રવૃત્તિ કરશે? માટે અહીંથી ત્યાં મોકલવા ગ્ય લેકો કયા છે તે જાણવાનો બીજો કોઈ ઉપાય શોધી કાઢો.” આ પ્રમાણે હકીકત સાંભળીને અત્યંત અબોધ હવે શું કરવું તે સંબંધી વિચારમાં પડી ગયે. ભવિતવ્યતા, સંસારીજીવ અગૃહતસંકેતાને ઉદ્દેશીને પિતાની હકીકત આગળ ચલાવતાં કહે છે કે—હે અગૃહીતસંકેતા! મારે ભવિતવ્યતા નામની એક સ્ત્રી છે. વાસ્તવિક રીતે એ સ્ત્રી નથી, પણ સાડી પહેરનાર મોટો ધો છે, કારણ કે હું તો નામ માત્ર તેને પતિ-ભરતાર છું. ખરે ખરી હકીકત જે પૂછે છે મારા ઘરની અને સર્વ ભાયની અસ્મ- લોકેનાં ઘરની સર્વ પ્રકારની કર્તવ્યતાનું તંત્ર તે એલિત ગતિ. કલી ચલાવે છે. તેનામાં એવી અદ્ભુત શક્તિ હોવાને લીધે તે પિતાના બીજા સંબંધી પુરુષકાર વિગેરેની ૧ એક નિગદમાં. ૨ છે કે એક સાથે તે એક નિગોદને અનંતમો ભાગ મરે છે, પણ તે અનંતા હોય છે તેથી સર્વ કહ્યા છે. ૩ ભવિતવ્યતા. કઈ પણ કાર્ય થવા માટે પાંચ કારણે એકઠાં થવાની જરૂર પડે છે, એ પાંચને સમવાયી કારણ કહેવામાં આવે છે. (૧) પુરુષાર્થ-ઉધોગ. (૨) કર્મ-કર્મ એ કાર્ય સિદ્ધ થાય તે પ્રકારનું અનુકળ હોવું જોઇએ. ( ૩ ) કાળ. કર્મ તે વખતે પરિપકવ દશાને પામેલ હોવું જોઇએ. (૪) સ્વભાવ. વસ્તુધર્મની અનુકૂળતા હોવી જોઈએ. (૫) ભવિતવ્યતાઃ અવશ્ય ભાવીનું એ રૂપક છે. એનું વર્ણન ગ્રંથકર્તાએ બહુ વિસ્તારથી ઉપર આપ્યું છે. આ પાંચ સમવાયી કારણમાંથી એક પણ ગેરહાજર હોય ત્યાં સુધી કોઈ પણ કામ બની શકતું નથી. ૪ પુરુષકાર-પાંચ સમવાયી કારણમાંનું આ એક સમવાયી કારણ છે. ઉદ્યોગ, પ્રયાસ, પુરુષાર્થના નામથી તે પ્રસિદ્ધ છે. ભવિતવ્યતા એની દરકાર કરતી નથી એ ખરું, પણ એના વગર પણ કામ થઈ શકતું નથી એ ધ્યાનમાં રાખવું. પાંચ કારણો એકસરખાં ઉપયોગી અને જરૂરનાં છે. માત્ર કાર્યપર ગૌણતા મુખ્યતા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy