SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૨ “ નાશ કરવા માટે `શરભ ( અષ્ટાપદ) સમાન છે અને મેટા લાભ“રૂપ મેઘનું શોષણ કરવાને પવન સમાન છે; એ મહાપુરુષ હાસ્યના “ વિકારને શમાવવાની મોટી શક્તિ ધરાવનારા છે અને મેાહનીય કર્મના “ ઉદયથી થતી રતિનેા સારી રીતે નાશ કરે છે, અરતિથી પીડા પામતા * પ્રાણીઓને તે મહાત્મા અમૃત જેવા લાગે છે અને કોઇ પ્રાણી ભયથી “ પીડા પામતા હોય, ગભરાઇ ગયા હોય તેનું સારી રીતે રક્ષણ કર“ વાને એ શક્તિવાળ્ છે, શાકથી હિંમત હારી ગયેલા પ્રાણીને ખરેખર “ સાચા દિલાસા એ મહાત્મા આપે છે અને પ્રાણીઓને જુગુપ્સા “ વિગેરે વિકારો થાય તેને તે સંપૂર્ણપણે શાંતિ પમાડે છે; ‘કાળ પિ“ શાચને લાત મારીને હાંકી કાઢવાને તેજ મહાપુરુષ સમર્થ છે અને “ મિથ્યાત્વરૂપ અંધકારને કાપી નાખનાર તે ( સદાગમ) પ્રચંડ પ્રતાપ“ વાળા સૂર્ય છે; પચાર પ્રકારનાં જીવિત (આયુ)ના સર્વથા છેદ કરાવવાનું “ કારણે તેજ મહાપુરુષ છે, કારણ કે જ્યાં આગળ જન્મ મરણુ ન હેાય “ તેવા શિવાલયમાં એ પ્રાણીઓને લઇ જાય છે; સારી અથવા ખરાબ નામ કર્મની અનેક પ્રકૃતિએને લઇને પ્રાણીઓને આ સંસારમાં અનેક “ પ્રકારની પીડા થાય છે તે સર્વને આ મહાત્મા અશરીરી” સ્થાન ૧ શરભ: અષ્ટાપદ પક્ષી. ૨ રતિઃ વિષયમાં પ્રીતિ ૩ જુગુપ્સાઃ બાહ્ય દૃષ્ટિને ન ગમે તેવી વસ્તુ તરફ તિરસ્કાર બતાવવા, નાક મરડવું તે. ૪ નવ નાકષાય છે તેનું અત્ર વર્ણન ચાલે છે. હાસ્ય ( મશ્કરી, ઠઠ્ઠા), રતિ (પ્રેમ), અતિ (ખેદ), શેાક, ભય અને બ્રુગુપ્સા અને સ્રીવેદ (પુરુષ ભે।ગવવાની ઇચ્છા ), પુરુષવેદ અને નપુંસકવેદ (સ્ત્રી પુરુષ બન્નેને ભેાગવવાની ઇચ્છા.) ૫ દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં જન્મ મરણનાં દુ:ખ હાય છે. એના નાશથી પ્રાણી મેાક્ષે જય છે. આ ગુણુ પાંચમા આયુષ્ય કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે. ૬ છઠ્ઠા નામ કર્મના ઉદયથી પ્રાણીને શરીર, સંસ્થાન, સંધયણ, સ્વર, કીર્ત આદિને લઇને અનેક સારાં અને ખરાબ નામેા મળે છે. અહીં ખાસ સમજવા જેવું એ છે કે સારાં નામને પણ સેનાની ખેડી પેઠે નહિ ઇચ્છવા યાગ્ય ગણવામાં આવે છે. શુભ કર્મ પણ જરૂર ભાગવવાં પડે છે અને ભાગ વખતે નવીન કર્મબંધ કરાવે છે તેથી તેને પણ ત્યાગ કરવા યોગ્ય છે. ૭ અનંગસ્થાનઃ જે સ્થાનમાં અંગ-શરીર નથી, માત્ર આત્મા એકલેાજ છે તે મેક્ષના નામથી જણાયલું અશરીરી સ્થાન છે. તેને અપાવનાર મહાત્મા સદાગમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy