SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૬ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ ૨ લેાકેામાં જાહેર કર્યાં છે. આ મહાદેવી પણ અનંતા છેકરા છેાકરીએને જન્મ આપનારી છે, પણ દુર્જન-હલકા માણસેાની તેના ઉપર નજર પડવાના ભયથી તેજ મંત્રીઓએ વંધ્યા-વાંઝણી તરીકે તેને દુનિયામાં પ્રખ્યાત કરી છે. જો સમજ! આ લેાકમાં જેટલાં પુત્ર પુત્રી થાય છે તે સર્વમાં પરમ વીર્યપણે તેનું જોડાણુ હાવાને લીધે પરમાર્ચથી ખરેખરી રીતે તે આ રાજા રાણીજ તેમનાં માબાપ છે. વળી એ મહારાજા અને મહારાણી નાટક જુએ છે તે સમયે તેઓનું માહાત્મ્ય કેટલું બધું જણાઇ આવે છે તે તેં સાંભળ્યું કે જોયું નથી ? આ મહારાજા સર્વ પાત્રોને પેાતાની મરજીમાં આવે તે પ્રમાણે નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવગતિ લક્ષણવાળા સંસારમાં આવી રહેલી લાખેા ચેનિઆમાં નવા નવા જૂદા જૂદા પ્રકારનાં રૂપો ધારણ કરાવીને તેની પાસે નાટક કરાવે છે અને એવી રીતે મહારાજા જે પ્રાણીઓ પાસે જૂદા જૂદા પ્રકારનાં રૂપો ધારણ કરાવે છે તે સર્વને મહારાણી ગર્ભાવાસ, બાળપણ, કુમારપણું, યુવાવસ્થા, પુખ્તપણું, વૃદ્ધાવસ્થા, મરણ, અન્યત્ર ગર્ભપ્રવેશ અને તેમાંથી પાછું નિષ્ક્રમણ વિગેરે સ્થિતિમાં પરિવર્તના (ફેરફારો) અનેક વાર કરાવે છે. ઝર અગૃહીતસંકેતા—જે વાત તું કહે છે તે તે મેં સાંભળી હતી, પણ મારૂં કહેવું એમ છે કે કર્મપરિણામ મહારાજા સર્વે પાત્રોને જુદાં જૂદાં રૂપે અપાવવાને શક્તિમાન છે અને કાળપરિણતિ મહારાણી તેઓની અવસ્થામાં વારંવાર મોટા ફેરફાર કરી શકે છે-આટલી હકીકત ઉપરથીજ તેઓ લેાકેાનાં માબાપ છે એમ કહી શકાય ? ” પ્રજ્ઞાવિશાલા— વહાલી સિખ ! તું તે તદ્દન ભેાળી છે ! ગાય જેવા જનાવરને પણ અડધી વાત કહી હાય તે તે આખી વાત સમજી જાય છે, પણ તું તે આ ઉઘાડી ખુલ્લી વાત છે તે પણ સમજી શકતી નથી. જો ખરેખરી રીતે વિચાર કરીએ તે આ સંસારજ નાટક છે, તેા તે નાટકના જે ઉત્પન્ન કરનારા હોય તે પરમાર્થથી વાસ્તવિક રીતે સર્વનાં માબાપ ગણાય. હવે સમજી ? ” ૧ ઉત્કૃષ્ટ વીર્ય-ઉત્પાદક શક્તિ. પ્રાણીની ઉત્પત્તિનું પરમ કારણ તે તેનાં કર્મ અને તેની પરિપાક દશાજ છે તેથી પિતૃવીર્ય અને માતૃરક્તનું પરમ કારણ તા કર્મ અને તેના કાળ પરિપાકજ છે. આટલા ઉપરથી સર્વ પુત્ર પુત્રીના પિતા અને માતા તેા કર્મ અને તેની પિરપાક દશા (કાળ)જ કહી શકાય. ૨ રાજ રૂપ ધારણ કરાવે છે અને સ્થિતિમાં પરિવર્તન રાણી કરે છે. કર્મ અને કાળને સ્વભાવ વિચારવાથી આ સ્પષ્ટ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy