SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨] કર્મપરિણામ અને કાળપરિણતિ. ૨૫૯ બાજુ લોભ વિગેરે સુભટથી વિંટાયેલો રહે છે; પિતે જાતે ઘણે "વિચક્ષણ (કાબેલ) છે અને તેણે નાટકની બાબતમાં ઘણું પરિપૂર્ણતા મેળવેલી છે. તે અભિમાનપૂર્વક પોતાના મનમાં એમ માને છે કે તેના જેવો મલ્લ આખી દુનિયામાં બીજે કઈ પણ નથી અને કઈ વખત બીજા પ્રાણુ ઉપર ઉપદ્રવ કરવા મંડી જાય છે ત્યારે કોઇની જરા પણ દરકાર કરતો નથી અથવા કંઈકને નિધનીઆ (ધન વગ૨ના-ભિખારી) બનાવી મૂકે છે. વળી કઈ વખત પિતાને હાસ્ય કરવાનું મન થઈ આવે તો સર્વ પ્રાણીઓને વિચિત્ર પ્રકારે હેરાન કરીને તેઓ પાસે નાટક કરાવે છે અને તેઓને થતી હેરાનગતી જોઈને પિતાની જાતને આનંદ આપે છે. એ સર્વ લેકે જે કે ઘણું મેટા છે પણ તેને પ્રતાપ સહન કરી શકતા નથી અને પરિણામે તે જે જે કહે છે તે તે સર્વે તેઓ કરી આપે છે, તે સર્વે તેઓને કરી આપવું પડે છે.* કોઈ વખત કમેપરિણામ રાજા લેકેને નારકીને વેશ આપીને તેઓને વેદનાથી દુઃખી થયેલા અને રાડ પાડતા. લોકોને લેવા જોઈને તેમાં વારંવાર આનંદ માનતો તેઓની પાસે પડતા વેશો. નાચ કરાવે છે. જેમ જેમ એ પ્રાણીઓને મહાદુઃ ખથી પીડા પામતા જુએ છે તેમ તેમ તેને મનમાં ઘણે સંતોષ થાય છે અને તેના ઉલ્લાસમાં વધારો થાય છે. કેઈ વખત તે રાજા અભિમાનમાં આવી જઈને લોકે કે જેઓ ભયથી મુંઝાઈ ગયેલા હોવાથી તેને હુકમ માનવા સદા તત્પર રહેનારા હોય છે તેને એને કહે છે “અરે પ્રાણુઓ ! આ રંગભૂમિ ઉપર તમે તિર્યંચનો ૧ વિચક્ષણ: માનસિક બળમાં અગ્રગામી. ૨ મલ્લઃ કસ્તી કરનાર, પહેલવાન, શારીરિક બળમાં અગ્રગામી. ૩ મતલબ એ છે કે કર્મનું પરિણામ આવી રીતે જરા પણ અપવાદ વગર પ્રાણીને ભેગવવું પડે છે. ૪ અહીંથી જે. એ. સે. (બેંગાલ) વાળી આવૃત્તિનું પૃ. ૧૫૦ શરૂ થાય છે. ૫ આ પ્રાણી નરકગતિમાં કર્મને પરિણામે જાય ત્યાં તેના કેવા હાલ થાય છે તે પ્રથમ બતાવેલ છે. ૬ તિર્યંચ એટલે એક ઇંદ્રિયવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ; બે ઇંદ્રિયવાળા પૂરા વિગેરે; ત્રણ ઇંદ્રિયવાળા જૂ, માંકડ વિગેરે; ચાર ઇદ્રિયવાળા વિંછી વિગેરે અને પાંચ ઇન્દ્રિયવાળા પ્રાણીઓમાં મગરમચ્છ વિગેરે જળચરો, ઘેડા, ગાય, ભેંસ વિગેરે સ્થળચરે અને પોપટ, કબૂતર વિગેરે ખેચરે. આ સર્વ છાને તિર્યંચ કહેવામાં આવે છે અને આ બીજા પ્રસ્તાવમાં તેઓ સંબંધી ખાસ વર્ણન છે તેથી આ શબ્દ પર બરાબર ધ્યાન આપવું. પાંચ ઇંદ્રિયવાળા મનુષ્ય, દેવો અને નારકો સિવાય સર્વ પ્રાણીઓ-છાને સમાવેશ તિર્યંચ શબ્દમાં થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy