SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ પીળા પાંદડાંઓને જુનાં થઈ જતાં જોઈ નવી કંપનીઓ (કિસલયો) તેના તરફ હસે છે, તેને પડતાં જોઈ તેની મશ્કરી કરે છે ત્યારે ખરી “પડતાં પીળાં પચ થઈ ગયેલાં પાંદડાંઓ લીલી લીલી કંપળીઓને કહે છે કે જેવી અત્યારે તમે છો તેવા એક દિવસ અમે પણ હતા, તમારા “ પણ એક દિવસ અમારા જેવા જ હાલ થવાના છે. અત્યારે તમે અભિ માન શા માટે કરો છો ? કિસલય (કંપળીઓ)નો સુંવાળા હોવાનો ગર્વ જ વધારે વખત ટકવાનો નથી, ચિર કાળ રહેવાનો નથી અને તે હકીકત સમજનાર પાંદડાંઓ તેના ગર્વ તરફ ટીકા કરતાં આ પ્રમાણે કહે છે, “માટે આવી સ્થિતિ સમજીને તે ગોતમ ! એક સમય પણ આળસ કરવું “નહિ, પ્રમાદ કરવો નહિ. અહીં નિયુક્તિકાર કહે છે કે ખરી પડતાં પાંદડાંઓ કદિ બોલતાં નથી, પણ ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપવાને માટે આ એક પ્રકારની ઉપમા છે. દેશી ભાષામાં પણ એ ઉપમા પ્રચલિત છે તે જાણવામાં હશે – પીપળપાન ખરંતા હસતી કુંપળી; અમ વીતી તમ વીતશે, ધીરી બાપુડીઆ ! આગળ વીર ભગવાન કહે છે – “શર ઋતુમાં ઘાસના છેડા પર ઝાકળના પાણીનું ટીપું હોય તે જેમ બહુ થોડો વખત ટકે છે તેવી રીતે મનુષ્યનું જીવન પણ બહુ થોડો વખત ટકે છે એમ સમજી હે ગતમ! એક સમય પણ પ્રમાદ કરો “નહિ. “આવી રીતે મનુષ્યભવના આયુષ્યને અનેક પ્રકારે ઉપકમ (ધક્કાઓ) લાગે છે અને જીવન ઉપર અનેક પ્રકારના ઉપઘાત લાગ્યા કરે છે, માટે “ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ. મનુષ્યપણું પામવું મહા દુર્લભ છે, સર્વ પ્રાણીઓને ચિર કાળે તે મેળવવું અત્યંત મુશ્કેલ છે અને કર્મના વિપાકો બહુ આકરા છે એમ “સમજી હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ. “પૃથ્વીકાયમાં પ્રાણી અસંખ્ય કાળ રહે છે, પણ જલદી મનુષ્યભવ “ પાછો મેળવી શકતો નથી, માટે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો છે નહિ. તેવીજ રીતે પ્રાણી અપ્લાયમાં અસંખ્ય કાળ (અનંત ઉત્સર્પિણી “અવસર્પિણી સુધી) રહે છે. તે જ પ્રમાણે તેઉકાયમાં, વાઉકાયમાં અસંખ્ય “ કાળ રહે છે, વનસ્પતિમાં અનંત કાળ કાઢી નાખે છે, તેવી જ રીતે બેઈદ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy