SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ અને અપથ્ય ભોજનનું જોર વધારે હોવાને લીધે તેના શરીર ઉપર કુભોજનનો વિકાર વારંવાર દેખાતો હતો. અપથ્ય ભજનના વિશેષ ઉપયોગથી કઈ વાર તેને શુળ નીકળતું હતું, કેઈ વખત શરીરે દાહ થઈ આવતો હતો. કોઈ વાર તેને મુંઝવણ થઈ આવતી હતી, કે વખત શરીરે તાવ આવી જતો હતો, કઈ વાર શરદી થઈ આવતી હતી, કેઇ વાર જડપણું જણાતું હતું, કેઈ વાર છાતીમાં અને પડખાંમાં વેદના થઈ આવતી હતી, કેઈ વાર ઉન્માદની પીડા થઈ આવતી હતી અને કોઈ વાર શરીરને પથ્ય વસ્તુ ઉપર અરૂચિ થઈ આવતી હતી. આવી રીતે એ સર્વ રોગ તેના શરીરમાં વિકાર ઉત્પન્ન કરીને કઈ કઈ વાર તેને ત્રાસ આપતા હતા.” આ પ્રાણીના સંબંધમાં પણ એવા જ પ્રકારની સર્વ વાત બને છે તે આપણે હવે જોઈએ. કઈ વખત ચોમાસાની શરૂઆતમાં દયા તત્પર થઈ ગુરુ મહા રાજ આ પ્રાણી ઉપર વિશેષ દયા લાવીને તેને વધારે અનુવ્રતનું પ્રમાણમાં વિરતિ ( ત્યાગભાવ ) ગ્રહણ કરાવવા માહાઓ. સારૂ તેની પાસે અણુવ્રત વિધિ કહે છે. મહાવ્રતમાં રાવે ત્યાગ કરવાની હકીકત હોય છે અને અત્રતમાં દેશથી ( અંશથી) બની શકતી બાબતમાં ત્યાગભાવ કરવાને હોય છે તે સર્વ હકીકત ગુરુ મહારાજ તેને સમજાવે છે અને એવાં અણુવ્રતો વિશેષ પ્રકારે લેવાનો વિધિ કેવો છે તે સર્વ બાબત પર વિસ્તારથી વિવેચન કરે છે ત્યારે આ જીવને સંસાર પર સંવેગ તો ઘણે આવી જાય છે અને ત્યાગ કરવાની વૃત્તિ થઈ આવે છે તો પણ ચારવ્યાવરણીય કર્મના અત્યંત જેરને લઈને અને તેના મંદ વીર્ય (ઓછી તાકાત )પણને લઇને માત્ર કઈ કઈ વ્રત નિયમ જરા જરા તે લે છે એ સર્વ તયા તેને ઘણું ભેજન આપે અને જોઈએ તેટલું લેવા તેને કહે, પણ તે તેમાંથી હું ગ્રહણ કરે તેની જેવું સમજવું. વળી ગુરુ મહારાજની ખાતર કઈ કઈ વ્રત આ પ્રાણું, તેમાં પોતાનું મન ન હોય તોપણ, લઈ લે છે તે પિતાના કુત્સિત ભજનમાં સુંદર ભજન નાખવા-ભેળવવા બરાબર સમજવું. જેવી રીતે પેલો દરિદ્રી સારૂં અને ખરાબ ભજન ભેળવી દેતો હતો તેમ આ ભાઈ પણ સમજપૂર્વક લીધેલાં વ્રતોની સાથે પોતાની અનિચ્છાથી આદરેલાં વ્રત નિયમોને ભેળવી દે છે. પિતાની ઈચ્છા વિરૂદ્ધ ઓછા સંવેગથી વ્રત નિયમો લીધાં ૧ રેયલ. એ. સેસાયટી બેંગાલ બ્રાંચવાળી આવૃત્તિના મૂળ ગ્રંથનું પૃષ્ઠ ૧૨૬ મું અહીંથી શરૂ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy