SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] સાધના વર્ગને નિણય. ૧૭૯ છે એમ સમજવું. ભાવવ્યાધિને અંગે તેઓ અસાધ્ય વર્ગના છે એમ “સમજવું. ભદ્ર! આ ભગવાનની સેવા કરવાથી અમુક પ્રાણી સુસાધ્ય “છે, કષ્ટસાધ્ય છે કે અસાધ્ય છે તેનું લક્ષણ અમે ચેષ્ટાથી અને આવી રીતે જાણી શક્યા છીએ. અમે કઈ પણ પ્રાધિકાર નિર્ણય. “ણીની ચેષ્ટા જોઈને તેની ઉપર ઉપર જણાવેલી બા બતનો પ્રયોગ અજમાવી જોઈએ છીએ તેથી અમને તરતજ માલૂમ પડે છે કે ત્રણમાંથી કયા વર્ગમાં એ પ્રાણી આવી શકે છે. એવી પરીક્ષા અમે કરી જાણીએ છીએ તેથી અને અત્યારે “તું તારું પિતાનું આત્મસ્વરૂપ કહે છે તે ઉપરથી તેમજ અમે અત્યારે “તારું સ્વરૂપ જોઈ રહ્યા છીએ તે ઉપરથી અમને એમ લાગે છે કે તું પરિશિલાને ગ્ય છે એટલે તારા ઉપર ઔષધોના વારંવાર પ્રયોગ કરવાની જરૂર છે. તે ઉપર જણાવેલા કષ્ટસાધ્ય નામના વચલા વર્ગને “પ્રાણી છે. આ પ્રમાણે હોવાથી જ્યાં સુધી તારા રાગ વિગેરે વ્યાધિ“ઓને નાશ કરવા માટે અમે અસાધારણ પ્રયાસ નહિ કરીએ ત્યાંસુધી તાર તે વ્યાધિઓ નાશ પામી જાય અથવા ઘટી જાય એમ અમને લાગતું નથી. હવે ભાઈ! જે સર્વ પ્રકારના સંબંધને ત્યાગ થઈ “ શકે એટલી તારામાં અત્યારે શક્તિ ન હોય તે હાલ તો તું આ ભાગ વાનના શાસનમાં ભાવપૂર્વક નિશ્ચળ મન કરી સર્વ બહારની આકાંક્ષા K(એટલે ગમે તે દર્શનને અનુસરવાની ઈચ્છા ) છોડી દે અને અચિંત્ય વીર્યના અતિશયથી જે ભગવાન્ સર્વે દોષોને નાશ કરવાને શક્તિમાન છે તેઓને પરિપૂર્ણ ભક્તિથી તારા મનમાં સ્થાપન કર અને દેશ“વિરતિપણુમાં (શેડો ડે ત્યાગ કરવો તે અવસ્થાને દેશવિરતિપણું કહે છે. દેશ એટલે ખંડ) સ્થિર થઈ જા. તારે આ જ્ઞાન દર્શન ચારિત્રને દરરોજ વધારે વધારે પ્રમાણમાં સેવ્યા કરવાં, આજે સેવ્યાં હોય તેથી વધારે આવતી કાલે સેવવાં અને એવી રીતે ઉત્તરોત્તર “તેની આસેવનામાં આગળ વધતા જવું. એ રીતે જ્ઞાન દર્શન ચારિત્રની “વિશેષ વિશેષ સેવન કરવાથી તારા ભાવને શાંત પામતા જશે. તે “સિવાય બીજી કઈ પણ રીતે તારા આ ખરેખર આકરા વ્યાધિઓ “નાશ પામે એમ તું માનીશ નહિ.” આવી રીતે ઉપદેશ આપવાને તૈયાર થયેલા ગુરુ મહારાજના મનમાં આ જીવ માટે જે દયા ઉત્પન્ન થાય છે તેને તદ્દયા નામની ૧ નિયંત્રણ. દેખરેખ અને આજ્ઞાનુસાર વર્તવાની ફરજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy