SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ બોધકાર મંત્રીશ્વર બોલ્યા “જે એ પ્રમાણે છે તે હું જે કહું તે થોડી વાર અહીં બેસીને બરાબર સાંભળ અને સાંભળીને તે પ્રમાણે આચરણ કર.” દરિદ્રી વિશ્વાસ લાવીને ત્યાં બેઠે એટલે તેના ઉપર હિત કરવાની ઈચ્છાથી તેના મનને આનંદ પમાડે તેવા સુંદર શબ્દોમાં ધર્મબંધકર બેલ્યા “તે કહ્યું કે મારા સિવાય બીજો કઈ નાથ નથી, પણ એવું તારું કથન યોગ્ય નથી, કેમકે આપણુ રાજાના રાજા મહા ઉત્તમ ભૂપાળ શ્રીસુસ્થિત મહારાજ તારા સ્વામી છે. એ મહારાજ સ્થાવર અને જંગમ સર્વે પ્રાણી અને પદાર્થોના નાથ છે, ધણી છે, સરદાર છે; અને તેમાં પણ આ રાજભવનમાં જે પ્રાણુઓ રહે છે તેના તો તેઓશ્રી ખાસ કરીને નાથ છે. જે ભાગ્યશાળી પ્રાણુઓ એ મહારાજાનું દાસપણું સ્વીકારે છે તેઓની સાથે આખું ભુવન થોડા કાળમાં દાસની જેમ વર્તે છે એટલે કે આ ભુવનના સર્વ લોક તેના દાસ થઈ જાય છે. જે પ્રાણુઓ અત્યંત પાપી હોય છે અને ભવિધ્યમાં પણ જેનો ઉદય થવાનો સંભવતો નથી તેઓ બાપડા આ મહારાજાનું નામ પણ જાણતા નથી. જે ભાવિભદ્ર મહાત્માઓ (ભવિષ્યમાં જેમનું કલ્યાણ થવાનું હોય છે તેવા ભાગ્યશાળી પ્રાણીઓ) આ રાજભુવનમાં દેખાય છે તેને પ્રથમ તો સ્વકર્મવિવર દ્વારપાળ અંદર પ્રવેશ કરાવે છે અને તેઓ કઈ પણ પ્રકારની શંકા વગર આ રાજાને વસ્તુતઃ સ્વીકારે છે. અંદર દાખલ થનારમાં કેાઇ મુગ્ધ (મોહને વશ પડેલા, સામાન્ય બુદ્ધિવાળા) હોય છે તેઓને અંદર પ્રવેશ કરાવ્યા પછી જ્યારે હું તેને બધી વાત કહું છું ત્યારે વિશેષ હકીકત તેઓ સમજે છે. આ પ્રમાણે હોવાથી તારા સદ્ભાગ્યને વેગે આ વિશાળ રાજમંદિરમાં જ્યારથી તારે પ્રવેશ થયો છે ત્યારથી આ સુસ્થિત મહારાજા તારા સ્વામી થયેલા છે. હવે તારે મારાં વચનથી શુદ્ધ આત્માવડે જ્યાં સુધી જીવ ત્યાં સુધી આ રાજાને તારા મહારાજા તરીકે-નાથ તરીકે સ્વીકારી લેવા. જેમ જેમ તે તેના ગુણોને ઉપભેગ કરતે જઇશ તેમ તેમ તારા શરીરમાં જે અનેક વ્યાધિઓ થયેલા છે તે નરમ પડતા જશે. તને જે રેગો શરીરે થયેલા છે તેને ઘટાડવાનો અને તેને છેવટે સર્વથા નાશ કરવાનો ઉપાય-સદરહુ ત્રણે ઔષધનો વારંવાર ઉપયોગ કરવો એજ છે, તેથી હે ભાઈ! સર્વ પ્રકારના સંશયને છેડી દઈને આ રાજભવનમાં નિરાંતે રહે અને દરેક વખતે વારંવાર અંજન, જળ અને અન્નનો ઉપગ કર. એવી રીતે એ ત્રણે ઔષધને ઉપગ વારંવાર કરવાથી તારા સર્વ વ્યાધિઓ મૂળમાંથી નાશ પામી જશે અને તું એ મહારાજાની વિશેષ સેવા કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy