SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૧ છે, બ્રહ્માદિ દેવે તેને બનાવેલ છે, તે પ્રકૃતિના વિકારરૂપ છે ક્ષણમાં નાશ પામે તેવા છે, વિજ્ઞાન માત્ર છે, શૂન્યરૂપ છે, વિગેરે વિગેરે. આવાકુવિકાને આભિસંસ્કારિક એટલે બહારના સંસ્કારથી ઉત્પન્ન થયેલા સમજવા. બીજા પ્રકારના કુવિકા-માઠાં ચિંતવના સુખની અભિલાષા કરતાં અને દુ:ખને ધિક્કારતાં, પૈસા શ્રી આદિમાં સર્વસ્વબુદ્ધિ રાખનારા અને તે ધન સ્ત્રી આદિનું રક્ષણ કરવાના ચિત્તવાળા પ્રાણીઆ જેઓએ તત્ત્વમાર્ગ શું છે તે દેખ્યા જાણ્યા હાતા નથી તેમને થાય છે. એને લઇને પ્રાણી જે બાબતમાં કદિ પણ શંકા ન કરવી જોઇએ તેના સંબંધમાં શંકા કરે છે, પેાતાના વિચારપથમાં ન લાવવા યોગ્ય આખા પર વિચાર કરે છે, ન ખાલવાનું બેલે છે અને નહિ આચરણ કરવા યોગ્ય કાર્યો આચરે છે. આવા કુવિકાને સહજ સમજવા. આ બન્ને પ્રકારના કુવિકામાં પ્રથમના આભિસંસ્કારિક કુવિકલ્પે તે સદ્ગુરુના સંબંધથી કદાચ નાશ પામે છે, પણ બીજા સહેજ કુવિકલ્પે। કહેવામાં આવ્યા તે તે જ્યાંસુધી આ પ્રાણીની બુદ્ધિ મિથ્યાત્વથી હણાયલી રહે છે ત્યાંસુધી કદિ પણ નાશ પામતા નથી. જ્યારે અધિગમ સમ્યક્ત્વ આ પ્રાણીને પ્રાપ્ત થાય છે ત્યારેજ એ સહજ વિકલ્પે। દૂર થઇ શકે છે. ૧ મનુસ્મૃતિના મત પ્રમાણે પરમાત્માએ પ્રથમ અનાદિ તિમિરને! નાશ કર્યો, પછી પાણી બનાવ્યું અને તેમાં ખીજ મૂક્યું; આ ખીજનું સુવર્ણઇંડું થયું અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. (જીએ મનુસ્મૃતિ-અધ્યાય પ્રથમ, શ્યાક ૫ થી ૧૦). ૨ ઉત્પન્ન થયેલા બ્રહ્માએ સર્વ વસ્તુએ બનાવી. સૃષ્ટિનું કારણ બ્રહ્મા માનવામાં આવે છે. ૩ સૃષ્ટિનાં મૂળ તત્ત્વોનું નામ પ્રકૃતિ છે, એ પ્રકૃતિ ઈશ્વરજન્યા નથી, પણ છેજ. એનામાં વિકાર થવાથી આ જગત્ થાય છે એમ સાંખ્ય દર્શન માને છે. નિરીશ્વર સાંખ્ય ઈશ્વરને કર્તા તરીકે સ્વીકારતા નથી અને સેશ્વર સાંખ્ય તેને સ્વીકારે છે તેઓ પણ આ પ્રકૃતિમાં વિકાર કરવાની ઇચ્છારૂપ માત્ર ઈશ્વરનું કાર્ય સ્વીકારે છે. ૪ બૌદ્ધ લોકો ક્ષણિકવાદી છે, તેઓ પ્રત્યેક વખતે આત્માનેા નાશ માને છે. એના અનેક પ્રકાર સમજવા યોગ્ય છે. ૫ વિજ્ઞાન એટલે ઐહિક (આ લેાકનું) જ્ઞાન. જ્ઞાન અને વિજ્ઞાનના તફાવત શ્રીભગવદ્ ગીતાના સાતમા અધ્યાયમાં બતાવવામાં આવ્યે છે. આ લાકના જ્ઞાનને વિજ્ઞાન કહે છે અને પરલેાકના જ્ઞાનને જ્ઞાન કહે છે. ૬ શૂન્યવાદી આ જગતને સ્વવત્ કહે છે. આ સર્વ મતે સંબંધી ઢાંઇક હકીકત શ્રી આનંદધન પદ્મરતાવલીના એકતાળીશમા પદમાં પૃ. ૩૯૨ થી લખી છે તે સર્વ સમજવા યાગ્ય છે. આ હકીકત જિજ્ઞાસુએ ત્યાંથી વાંચી લેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy