SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] તીર્થજળપ્રભાવઃ ઉન્માદને પ્રાયઃ નાશ. ૧૪૯ હતી તેની બરાબર આ હકીકત સમજવી, કારણ કે તે પ્રાણુને ઉપર પ્રમાણે જ્યારે સર્વ બાબતમાં સામાન્ય પ્રકારે પ્રતીતિ થઈ ત્યારે તેને જે મિથ્યાત્વ ઉદયમાં હતું તે સર્વ ક્ષીણ થઈ ગયું અને જે ઉદયમાં નહોતું આવ્યું તે ઉપશાંત અવસ્થાને પામી ગયું એટલે ઉદયમાં નહિ આવેલું તે હવે પછી પ્રદેશ ઉદયથી અનુભવવું બાકી રહ્યું; તેટલા માટે અગાઉ એમ કહેવામાં આવ્યું હતું કે આ પ્રાણીમાં જે ઉન્માદ હતા તે લગભગ નાશ પામી ગયો, પણ ઉન્માદનો સર્વથા નાશ થઈ ગયો એમ કહેવામાં આવ્યું નહોતું તેનું એ કારણ સમજવું. એ તીર્થજળ પીવાથી આ પ્રાણીના બીજા વ્યાધિઓ પણ નરમ થઈ ગયા એમ કહેવામાં આવ્યું હતું તેનું કારણ એ કે કમ વ્યાધિઓ જેવા છે અને સમ્યગદર્શન પ્રાપ્ત થતાં કમ હલકાં પડવા માંડે છે. આ રામ્યદર્શન પ્રાણીને થાય છે ત્યારપછી ચર (ત્રીસ) અને અચર (સ્થાવ૨) સર્વ પ્રાણીઓને દુઃખ દેવારૂપ દહને તે દળી નાખે છે અને તેને સર્વ જંતુ ઉપર દયાભાવ પ્રગટ થાય છે, તેથી તે (દર્શન)ને અત્યંત શીતળ કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે હોવાથી આ પ્રાણીના શરીરમાં અગાઉ જે દાહની ( ર-તાપની) પીડા થતી હતી તે નાશ પામી ગઈ અને તેના મનમાં સ્વસ્થતા પ્રાપ્ત થઈ–એવી સુંદર સ્થિતિ તેને સમ્યગ્ગદર્શન પ્રાપ્તિથી થઈ એ પ્રમાણે સમજવું. અન્ય પ્રાણીએને દુઃખ દેવાથી તે પ્રાણુને દુઃખ થાય છે એટલું જ નહિ પણ દુ:ખ આપનારના શરીરમાં પણ એક જાતનો દાહ થઈ આવે છે. તે સર્વ બાબતમાં આ સમ્યગ્દર્શન શાંતિ કરી આપે છે તેથી તે અત્યંત શીતળ છે એ પ્રમાણે હકીકત સ્પષ્ટ રીતે સમજવી. આ પ્રમાણે પેલા દ્રમુકનો અંતર આત્મ સ્વસ્થ થવાથી તેણે મનમાં વિચાર કરવા માંડ્યો. તે વિચારે કેવા પ્રકાધર્મબોધકરની રના હતા તે બતાવતા કથાપ્રસંગમાં કહેવામાં મહાનુભાવતા. આવ્યું છે કે ““અહો! આ અત્યંત કૃપાળુ મહાત્મા પુરુષને મેં મહામહના જેરથી મૂર્ખાઈને અંગે ઠગારા ધાર્યા હતા. એ મહાપુરુષે મારા ઉપર મોટો ઉપકાર કરીને મારી આંખો પર અંજનનો પ્રયોગ કર્યો, મારી આંખો તદ્દન સારી બનાવી દીધી અને મારી ટુંકી નજર હતી તે દૂર કરી ! વળી તેણે મને પાણી પાઈને અત્યંત સ્વસ્થ બનાવી દીધે. ખરેખર, તે મારા ઉપર મોટો ઉપકાર કરનાર છે. મેં તે અત્યાર સુધીમાં તેઓ ઉપર શું ઉપકાર કર્યો છે ? તેઓએ મારા ઉપર આટલે ઉપકાર કર્યો તેમાં તેઓના ૧ આને સંબંધ પૃષ્ઠ ૨૬ સાથે છે ત્યાંથી આ વિભાગ જોઈ લેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy