SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૧૪૪ [ પ્રસ્તાવ ૧ “ થાય છે. એવીજ રીતે આ પ્રાણીઓમાં નહિ પસંદ આવે તેવા તફા“વા વારંવાર જોવામાં આવે છે તેનું કારણ અધર્મ છેઃ એ ખરાબ “ પરિણામ ઉત્પન્ન કરનાર અધર્મ આ પ્રાણીને અધમ કુળમાં ઉત્પન્ન “કરે છે, સર્વ દોષોનું જાણે તે સ્થાન હેાય એવી ખરાબ સ્થિતિ તેને “પ્રાપ્ત કરાવી આપે છે, તે પ્રાણી જે જે ધંધા કે વ્યવસાયેા આદરે “ તે તે સર્વે નિષ્ફળ બનાવી દે છે અને પ્રાપ્ત થયેલા ભાગ ન ભોગવી (c શકાય તેવી નિર્બળતાને ઉત્પન્ન કરે છે. આવા આવા ન પસંદ પડે તેવા “ અનેક તફાવતો આ પ્રાણીમાં તે અધર્મે ઉત્પન્ન કરે છે, તેટલા માટે “ જે ધર્મના પ્રભાવથી આ સર્વ સંપત્તિ પ્રાણીઓને આવી મળે છે “ તેજ પ્રધાન પુરુષાર્થ છે. અર્થ અને કામની પ્રાણી ગમે તેટલી વાંછા કરે, પરંતુ ધર્મ વગર તે પ્રાપ્ત થતા નથી અને ધર્મ જે પ્રાણીમાં હોય “ છે તે એવી કોઇ પણ વસ્તુની ઇચ્છા કરે કે ન કરે તેાપણુ પાતાની “ મેળે સર્વ સુંદર વસ્તુઓ તેને આવી મળે છે. આ પ્રમાણે હાવાથી “ જે પ્રાણીઓ અર્થ કામ પુરુષાર્થ સાધવાની ઇચ્છા રાખતા હોય તેમણે cr પણ ધર્મ પુરુષાર્થ સાધવાની ખાસ જરૂર છે, તેટલા માટે ધર્મ પ્રધાન “ પુરુષાર્થ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત આનંદરૂપ “ આત્માની મૂળ અવસ્થા પ્રગટ કરનાર મેાક્ષ નામના ચોથા પુરુષાર્થ “ જો કે છે અને તે સર્વ પ્રકારના ક્લેશસમૂહને કાપી નાખનાર હેાવાથી “ અને સ્વાભાવિક આનંદ પાતે સ્વતંત્રપણે ભાગવી શકે એવી અતિ આહ્લાદજનક સ્થિતિ પ્રાપ્ત કરાવનાર હોવાથી મુખ્ય પુરુષાર્થ તેજ છે, “ પરંતુ ધર્મ પુરુષાર્થનું તે કાર્ય હાવાથી એટલે ધર્મ પુરુષાર્થ સાધવાને પરિણામે મેાક્ષ પુરુષાર્થ પરંપરાએ સાધ્ય થતા હોવાથી જ્યારે એ પુરુષાર્થ સર્વથી મુખ્ય છે એમ કહેવા લાગીએ ત્યારે પણ તેને પ્રાપ્ત કરાવનાર ધર્મજ પ્રધાન પુરુષાર્થ છે એમ અર્થ બતાવાય છે. ભગવાન્ “ તીર્થંકર મહારાજ પણ તેટલા માટે કહી ગયા છે કે << * CC * धनदो धनार्थिनां धर्मः, कामार्थिनां च कामदो । धर्म एवापवर्गस्य, पारम्पर्येण साधकः ॥ “ ધર્મ ધનની ઇચ્છાવાળાને ધન આપે છે, કામની ઇચ્છાવાળાને દ કામ આપે છે, અને પરંપરાએ ધર્મ મોક્ષને પણ અપાવે છે,' તેટલા ૧ મેાક્ષમાં જવા માટે ધર્મની રાશિની પ્રથમ જરૂર પડે છે. જો કે સર્વ કર્મના નારાથી મેક્ષ થાય છે તાપણ શુભ રસ્તે ચઢવા માટે ધર્મની આવશ્યકતા છે. આથી ધર્મ મેાક્ષનું કારણ બને છે અને તેથી મેાક્ષ પુરુષાર્થને પ્રાધાન્ય આપ વામાં આવે તે પણ તેના સંપાદક ધર્મના ઉત્કર્ષમાં વધારા કરનાર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy