SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પીટબંધ ] સંકલ્પ વિકલ્પોના પ્રકારો ૧૨૩ આવી આવી સુંદર વચનરચના કરીને એ જૈન ધર્માચાર્યે મને શૈવાચાર્ય પેઠે ઠગશે અને મારી પાસેની વસ્તુઓ ઉઠાવી જશે અથવા બ્રાહ્મણા જેમ દુનિયાને કહે છે કે “ સાનાનું દાન આપવું તે મહાફળ આપનાર છે, ગાયનું દાન આપવાથી મહા ઉદય થાય છે, પૃથ્વીનું દાન આપવાથી અવિનાશી થવાય છે, 'પૂર્વ ધર્મનું અતુલ્ય ફળ છે, વેદના પાર પામેલા હોય તેને દાન આપવું તે અનંત ગુણ કરનાર છે, તેમજ દુઝતી, તરતની વીઆયેલી, વાછડાવાળી, વસ્ત્ર ઓઢાડેલી, સેાનાનાં શીંગડાવાળી, રત્નેાથી મંડિત અને ઉપચાર કરાયલી ગાય જે બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે તે તેને ચાર સમુદ્રની વચ્ચે આવી રહેલી અનેક નગર અને ગામાથી ભરેલી અને પર્વતા તથા જંગલાથી યુક્ત પૃથ્વીનું દાન આપવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે અને તે ફળ અક્ષય છે–” આ પ્રમાણે મિથ્યા શાસ્ત્રોમાં ખાટાં બનાવીને દાખલ કરેલાં મૂર્ખ પ્રાણીઓને છેતરનારાં શ્લોકા તથા વાક્યોથી જેમ બ્રાહ્મણા આખી દુનિયાને છેતરે છે તેમ આ જૈનાચાર્ય પણ જરૂર મારા પૈસા હરી જશે. અથવા “ અતિશય સુંદર વિહાર (બૌધ સાધુઆને રહેવાનું સ્થાન ) બંધાવે, બહુશ્રુત ( પંડિત ) સાધુઓના તેમાં વાસ કરાવેા, સંઘની પૂજા કરે, ઔધ સાધુ ( ભિક્ષુ )ને દક્ષિણા આપા, સંઘના કેશ ( ભંડાર ) માં તમારૂં ધન મેળવી દે, સંઘના કોઠારમાં તમારૂં ધાન્ય ( અનાજ-દાણા ) મેળવી દો, સંઘના ગેાકુળમાં તમારા ચતુષ્પદ વર્ગ–સર્વ ચેાપગાં જનાવરે આપી દો, ઔધ ધર્મને અનુસરનારા થાઓ-એવી રીતે કરવાથી તમને થેાડા વખતમાં મહાત્મા ભગવાન્ બુદ્ધનું પદ પ્રાપ્ત થશે ” આવી રીતે પેાતાના વાચાળપણાના ઉપયોગ કરીને જરક્ત ભિક્ષુ પેાતાની માયાજાળ ફેલાવીને પોતાનાં શાસ્ત્રો બતાવીને જેમ પ્રાણીઓને છેતરે છે તેમ આ શ્રમણ સાધુ પણ મારું સર્વસ્વ ઉપાડી લેવાને પ્રયત્ન કરતા હોય એમ જણાય છે. અથવા “સંઘને જમણુ આપેા, ઋષિઓને જમાડો, સારા ૧ યજ્ઞ કરવા અથવા તળાવ, કુવા ખેાદાવવા તે. ૨ બૌદ્ધ ધર્મોનુયાયીનેા સમૂહ, પ્રતમાં સંયતની પૂજા કરી એવા પાઠ છે. સંચત એટલે ઇંદ્રિય વશ કરનાર. ૩ ‘સંજ્ઞાતિ ’ એવા શબ્દ છે. તેના અર્થે ગાકુળ લાગે છે. પાંજરાપેાળ જેવા . ‘સંજ્ઞાતિ' ઔધા કરતા હશે એમ અનુમાન થાય છે. 6 ૪ બુદ્ધ ધર્મના ભિક્ષુએ લાલ રંગનાં કપડાં પહેરે છે તેથી રક્ત ભિખ્ખુના નામથી ઓળખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy