SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ રીતે યોજના કરવીઃ-અગાઉ બતાવેલી હકીક્ત પ્રમાણે અનાદિ સંસારમાં રખડતાં જ્યારે આ જીવની ભવિતવ્યતા પાકી જાય છે, તેનાં કિલષ્ટ (આકરાં) કર્મો જ્યારે લગભગ નાશ પામવા જેવાં થઈ જાય છે, માત્ર તેમાંથી થોડાં જ બાકી રહે છે, તે બાકી રહેલા કર્મો પણ માર્ગ આપે છે, મનુષ્યભવ વિગેરે સુંદર સામગ્રી તેને મળી આવે છે, તે સવેગશાસનનું દર્શન કરે છે, તે શાસન અતિ સુંદર છે એ તેના મનમાં નિર્ણય થાય છે, પદાર્થનું જ્ઞાન મેળવવાની પ્રબળ ઈચ્છા થાય છે અને જ્યારે તેને સારાં કમ ( પુણ્યકાર્ય કરવાની કાંઈક બુદ્ધિ થઈ હોય છે-આવે વખતે આવા સુંદર ભદ્રકભાવમાં વર્તતાં જે કે સહજ પાપકળાઓ હજુ પણ વર્તતી હોય છે પણ તેના ઉપર તીવ્ર કરૂણ લાવીને તેનામાં વિશુદ્ધ માર્ગ પર આવી જવાની યોગ્યતા છે એમ નિર્ણય કરી આચાર્ય મહારાજ અથવા ઉપદેશકે તેની સન્મુખ થાય છે. એવા મહાત્માઓ જુએ છે કે આ પ્રાણી હજુ પાપકર્મો આચરતો હોય છે, તો પણ તેની વૃત્તિ માર્ગસમુખ થઈ ગઈ છે અને ભગવાનની તેના ઉપર કૃપા થઈ છે. આથી એવા જીવ પર કરૂણ લાવીને ધર્માચાર્યો તેની સન્મુખ થાય છે એ ભાવને અહીં ધર્મધકર દરિદ્રી સન્મુખ જાય છે તેની સાથે સરખાવો. ત્યારપછી કૃપા લાવીને આચાર્ય તેને આ પ્રમાણે કહે છે “હે ભદ્ર! આ લેક અકૃત્રિમ છે. કાળ અનાદિ અનંત છે. આપણે આત્મા શાશ્વત છે, અવિનાશી છે. આ સંસારનો આ પ્રપંચ કર્મને કરેલ છે. પ્રવાહથી આત્માનો અને કમને સંબંધ અનાદિ છે અને મિ થ્યાત્વ અવિરતિ કષાય અને યોગ કર્મબંધનાં ભિક્ષાદાન- “કારણો છે. સંસારપ્રપંચને ઉત્પન્ન કરનાર કર્મ બે તત્ત્વનુસંધાન. “પ્રકારનાં છેઃ કુશળરૂપ અને અકુશળરૂપ અથવા “શુભ અને અશુભ. તેમાં કુશળરૂપ શુભ કર્મો તે પુણ્ય અથવા ધમૅ કહેવાય છે અને જે અકુશળરૂપ અશુભ કર્મો તે પાપ અથવા અધર્મ કહેવાય છે. પુણ્યના ઉદયથી પ્રાણુને સુખને “અનુભવ થાય છે, પાપના ઉદયથી પ્રાણીને દુઃખનો અનુભવ થાય છે. ઓછાં વધતાં પાપ અને પુણ્યના અનંત ભેદો થાય છે અને તેવા “જુદા જુદા ભેદથી પ્રાણી અધમ મધ્યમ ઉત્તમ વિગેરે અનંત પ્ર“કારનાં રૂપો પામે છે. આ પ્રમાણે હોવાથી આ વિચિત્ર સ્વરૂપવાળે ૧ વિશ્વ. ૨ કોઈને બનાવેલો નહિ તેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy