SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ તે યુક્તિયુક્ત છે. સારી રીતે ખરાખર પરીક્ષા કરીને દાખલ કરનાર સ્વકવિવર દ્વારપાળે તેને અહીં પ્રવેશ કરાવ્યેા છે અને તેથી તે ભગવાનની વિશેષ દૃષ્ટિ અને કૃપાને યોગ્ય છે તે પ્રથમ કારણ છે. બીજું આ રાજમંદિર જોઇને જેને મનમાં આનંદ થાય છે તે પ્રાણી મહારાજને બહુ વહાલા થાય છે એમ તે અગાઉથી નક્કી કરી રાખેલું છે. આ રંક જીવને રાજ્યભુવન દેખવાથી બહુ આનંદ થયા હોય એમ જણાય છે, કારણ કે તેની આંખેા અનેક રોગોથી ભરપૂર હાવા છતાં આ રાજ્યજીવનના દર્શનથી દરેક ક્ષણે ઉઘડે છે, ઊંચી નીચી થાય છે, તેનું ભયંકર દેખાવવાળું મુખ પ્રભુકૃપાની સંપત્તિથી સુંદર થયેલું જણાય છે અને ધુળથી ખરડાયલાં સર્વે અંગે અને ૧ઉપાંગા રામરાય વિકસ્વર થવાથી પુલકિત થયેલાં દેખાય છે. આ સર્વ મામતે અંદરના હર્ષ–આનંદ વગર બની શકતી નથી, તેથી રાજભુવન તરફ પક્ષપાતરૂપ રાજેંદ્ર દષ્ટિપાતનું બીજું કારણ છે.' (એક સ્વકમઁવિવર દ્વારપાળે તેને અહીં પ્રવેશ કરાવ્યા છે તે અને બીજું તેના પોતાના મનમાં સર્વજ્ઞમંદિર તરફ પ્રમાદ થયેા છે તેઃ આ બન્ને કારાને લઇને ભગવાનની તેના ઉપર દૃષ્ટિ પડી છે એમ ધર્મભેાધકર મંત્રીશ્વરે નિશ્ચય કર્યાં. ) આવી રીતે શુદ્ધ ધર્માચાર્યો પણ આ જીવના સંબંધમાં વિચાર કરે છે તે આ પ્રમાણે: વિચારપૂર્વક જ્યારે આ જીવ ઉપર તે લક્ષ્ય આપે છે ત્યારે તેમને જણાય છે કે આ પ્રાણીનાં કર્મે વિવર ( માર્ગ ) આપ્યું છે તેથી ભગવાનનું શાસન પ્રાપ્ત કરીને તેને મનમાં આનંદ બહુ થયા છે તેથી વારંવાર આંખ ઉઘાડવા મીંચવારૂપ જીવ અજીવ આદિ પદાર્થો તરફ જિજ્ઞાસાબુદ્ધિથી તે નજર કરે છે, શાસ્ત્રના થોડા પદાર્થો સમજવામાં આવતાં સુંદર મુખાકૃતિરૂપ સંવેગ તે બતાવે છે અને ધુળથી ખરડાયલાં અંગેામાં રોમાંચના આકારને ધારણ કરનાર સુંદર અનુષ્ઠાનની ચાડી ઘેાડી પ્રવૃત્તિ તેનામાં દેખાય છે, તેથી ભગવાનની સુંદર દૃષ્ટિ તેના ઉપર પડી છે એમ નિશ્ચય થાય છે. અહીં આંખેા ઉઘાડવા મીંચવાને તત્ત્વજિજ્ઞાસા' સાથે સરખાવેલ છે, સુંદર મુખાકૃતિને ‘સંવેગ’(વૈરાગ્ય ) સાથે સરખાવેલ છે અને રોમાંચને સદનુષ્ઠાન સાથે સરખાવેલ છે તે ત્રણે અનુક્રમે સદ્નાન, સદર્શન અને સચ્ચારિત્રના વિષય છે અને સખ્યદ્ જ્ઞાનીન ચારિત્રાળ મોક્ષમાî: એ પ્રસિદ્ધ હકીકત છે.} આ પ્રમાણે Jain Education International ૧ અવયવ-શરીરવિભાગે. ૨ શરીર પર લાગણી થતાં રામ ઊભાં થઇ આવે છે તે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy