SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ મૂલ્યવાન્ અનેક રત્નો તેને પ્રાપ્ત થયાં, કામદેવની સ્રી રતિના વિભ્રમને પણ બાજુએ મૂકે એવી સુંદર યુવાન સ્ત્રીઓ સાથે તેણે અનેક પ્રકારના વિલાસે ભાગવ્યા અને સ્વર્ગ, મૃત્યુ તથા પાતાળલોકમાં અતિ સુંદર ગણાતી ઊંચા પ્રકારની ક્રીયાએ તેની સાથે તેણે કરી તાપણ ઘણી ભૂખ લાગવાથી જેમ પેટ પાતાળમાં પેસી ગયું હોય નહિ તેમ અગાઉના દિવસેામાં ભાગવેલ વિષય કે ખાધેલ ભાજનની વાત પણ તે જાણતા નથી, યાદ પણ લાવતા નથી, માત્ર નવા નવા વિષયભાગ મેળવવાના મનારથા કરી કરીને નકામા સુકાયા કરે છે. ૮૦ વળી પૂર્વે કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે આવી લાલતાથી ખાધેલું અન્ન તેને પચતું નહતું અને “પચતાં પચતાં વળી તેના શરીરમાં વાતવિસૂચિકા ( પેટના દુ:ખાવા ) ઉત્પન્ન કરીને તેને બહુ પીડા ઉપજાવતું હતું ” તે આ પ્રાણીના સંબંધમાં આવી રીતે ચાજવું: રાગ મેહમાં લેવાઇ ગયેલા આ પ્રાણી ભેાજન જેવાં ધન વિષય સ્રી વિગેરેના સ્વીકાર કરી લે છે અને તેમાં આનંદ માની તેને ભાગ ઉપભોગ કરે છે ત્યારે તેને કર્મસંચયરૂપ અજીણું થાય છે; પછી જ્યારે ઉદય દ્વારા એ કર્મોને પચવે છે-નિર્જરે છે ત્યારે નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવગતિમાં રખડવારૂપ તેને ટૂંકા આવે છે, પેટના દુ:ખાવે। થાય છે અને એવી રીતે સદરહુ કર્મો તેને અત્યંત પીડા આપે છે, તેને ત્રાસ પમાડે છે અને તેને હેરાન કરે છે. વળી તે ભાજન સર્વે રોગનું કારણ હતું અને પૂર્વે થયેલા સર્વ વ્યાધિઓને વધારનાર હતું” એમ જે અગાઉ કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું તે પણ યાગ્ય છે, કારણ કે એ ભેાજનની સાથે સરખાવેલ ધન વિષય સ્ત્રી વિગેરેના ભાગ ઉપભોગ આ જીવ રાગપૂર્વક કરે છે ત્યારે તેને લઇને મહામેાહના લક્ષણવાળા અનેક નવા વ્યાધિએ તેને થાય છે અને પૂર્વના હાય છે તેમાં વધારો પણ થાય છે. આથી સર્વ વ્યાધિઓને ઉત્પન્ન થવાનું અને તેમાં વધારો થવાનું કારણ એ કુભેાજન છે. નવીન કૌં આથી બહુ અંધાય છે અને પૂર્વ કર્માંના સ્થિતિ અને અનુભાગ (રસ) વધારે તીવ્ર બને છે. પેટના દુખાવે. “ આ પ્રમાણે હકીકત હોવા છતાં તે નિપુણ્યકતા તેનેજ ( ખરાબ ભાજનનેજ) સારૂં માનતા હતા અને સુંદર ભાજનના તેથી વધારે સુંદર ભેાજન તરફ નજર પણ કરતા સ્વાદથી એનશીખ. નહાતા. આથી થયું એમ કે ખરેખરા સુંદર લીજત આપનાર ભાજનના સ્વાદ ચાખવાને તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy