SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ વળી આ જીવ વિચાર કરે છે હું આવી રીતે ઘણા વખત સુધી બહુ ઉત્તમ પ્રકારનું સુખ ભાગવીશ. એવી રીતે સર્વોત્તમ સુખ ભાગવતાં મારે દેવકુમારના આકારને ધારણ કરનાર, શત્રુઓની સ્ત્રીઓનાં હૃદયમાં ઈર્ષ્યા ઉત્પન્ન કરનાર, સર્વ સગા સંબંધીએ તથા વહાલા સ્રહીઓના જૂદા જૂદા સ્વભાવને એક સરખી રીતે રાજી રાખનાર અને મારા જેવાજ સેંકડો પુત્રો થશે. આવી રીતે મારા મનના સર્વે મનારથા પૂર્ણ થશે, મારા સર્વ શત્રુઓ અસ્ત પામી જશે અને તેવી રીતે અનંતા કાળ હું મારી મરજી આવશે તે પ્રમાણે રહીશ-વિહાર કરીશ.' પેાતાની પાસેનું કદન્ન ( ખરાબ ભાજન ) ઘણા દિવસ સુધી રાખી મૂકવાની–ઢાંકી મૂકવાની ઇચ્છા તે ભિખારીને થયા કરતી હતી તેની બરાબર આ સર્વે મનેારથા સમજવા. વળી પેલા ७० કુંભેાજન ના સંગ્રહ. દરિદ્રી જીવ વિચાર કરે છેઃ-મારી પાસે આટલી અને આવી સંપત્તિ છે એ બાબતની હકીકત ત્યારપછી કાઇ વાર બીજા રાજાઓ સાંભળશે ત્યારે તે મારી ઉપર ઈર્ષ્યા કરીને સર્વ એકઠા થઇને મારા દેશ ઉપર ચઢી આવશે અને ધમાધમ મચાવવાની શરૂઆત કરશે. એ હકીકત જાણીને હું મારી ચતુરંગિણી' સેના સાથે તે ઉપર ચડાઇ કરી તૂટી પડીશ ત્યારે તેઓ પેાતાના બળ ઉપર મુસ્તકીમ રહીને મારી સાથે લડાઇ કરશે. તે વખતે લાખા વખત સુધી ચાલે તેવા મોટા-મહાભારત વિગ્રહ થશે. સર્વ શત્રુઓ એક બીજા સાથે મળી ગયેલા હેાવાથી અને સંખ્યામાં વધારે હાવાથી તથા તેનાં સાધના મારા કરતાં ઘણાં વધારે હાવાથી તેઓ મને જરા પાછા હટાવશે. તે વખતે પછી મારા ગુસ્સા ઘણા વધી જશે અને મારામાં લડાયક જીસ્સા પણ ઘણા ઉશ્કેરાઇ જશે, તેના આવેશમાં સામી માજીના દરેક રાજાને અને તેના લરકરને હું મારી નાખીશ, તેના ચૂરેચૂરા કરી નાખીશ, તેના ઘાણ કાઢી નાખીશ. મારાવડે અટકાવાયલા–કેદી તરીકે પકડાયલા સર્વ શત્રુસેનાનીએ કદિ પાતાળમાં જશે તેપણ તેઓને છુટકારો થશે નહિ.' અગાઉ દરિદ્રીની હકી રદ્ર ધ્યાન અ ને ભિખારી. ૧ હાથી, ઘેાડા, રથ અને પાયદળ, એ ચાર અંગવાળી સેનાને ચતુરંગિણી સેના કહેવામાં આવે છે. ૨ આવા આવા અનેક વિચાર આ જીવ મનમાં કરે છે તે વખતે તેની પાસે કાંઇ પણ હેાતું નથી, ખાલી રૌદ્રધ્યાન કરી કર્મબંધ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy