SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાય એમ નથી, જાતે જ જાણવું જોઈએ; નહિ તો રળીએ તેમાંથી અડધો ભાગ તો વકીલો ખાઈ જાય. જાતે શીખ્યા હોઈએ તો જ કાયદાના ફાયદા મળે ’’ જોયું, આ કેળવણી ! માણસ ભણે છે શા માટે ? ચોરી કરવા માટે. ચોર બનવા, પોતાની જ સરકારની આંખમાં ધૂળ નાખવા. પૈસા રળવા છે, પણ કર (Tax) ભરવો નથી. પૈસો પોતાના મોજશોખમાં ખર્ચવો છે, પણ બીજાના હાથમાં જવા દેવો નથી. આ વિદ્યાર્થી માણસ મુક્ત બને કે બંધાય ? જે એક શ્રેષ્ઠ નાગરિક બનવાને અયોગ્ય છે તે શ્રેષ્ઠ જીવન માટે યોગ્ય કઈ રીતે ગણાય ? એક ભાઈ ઇન્ટરની પરીક્ષા આપી રજામાં ઘેર આવ્યા. એ અરસામાં બહારગામથી એમને ત્યાં એક મહેમાન આવ્યા. એ મહાન ચિન્તક હતા. વિદ્યાર્થીના પિતા પોતાના પુત્રને બપોરે ચિન્તકની પાસે લાવ્યા અને પોતાના પુત્રના અભ્યાસની વાત કરી. ચિન્તકે પૂછ્યું : ‘શું ભણો છો ?’ ‘સાહેબ, ઇન્ટ૨ની પરીક્ષા આપીને આવું છું.’ ‘હવે શું કરશો ?’ ‘બી. એ. થઈશ.’ ‘પછી શું કરશો ?' ‘પછી તો જો ફર્સ્ટ ક્લાસ આવીશ તો વિલાયત જઈશ અને એમ.એ. થઈશ.’ ‘એમ.એ. થઈને પછી શું કરશો ?' ‘પછી કોઈ સારી નોકરી મેળવીશ.’ પેલા ચિન્તકને તો આગળ જ વધી રહ્યા હતા. એમણે પૂછ્યું : ‘પછી ?' પેલો વિદ્યાર્થી જરા થંભ્યો. એને થયું, આ શું પૂછે છે ? પણ ઉત્તર આપ્યા વિના ચાલે તેમ ન હતું, એટલે એણે કહી નાખ્યું : ‘પછી પ્રભુતામાં પગલાં માંડીશું.’ ચિન્તકે ‘પ્રભુતામાં પગલાં’ આ શબ્દ ચાવ્યો. શબ્દ તો ઘણો સારો છે. પશુતા માટે વધારેમાં વધારે છૂટ મેળવનારા પણ આ જ શબ્દ વાપરતા હોય છે. ચિન્તકે પૂછ્યું : ‘ઠીક, પછી શું ?' વિદ્યાર્થીએ કહ્યું : ‘પછી વળી શું ? ઘરડા થઈશું.' ચિન્તકને પોતાના પ્રશ્નનો દોર બરાબર હાથમાં આવતો લાગ્યો, એટલે ધીમેથી પૂછ્યું : ‘પછી શું ?'' પેલો વિદ્યાર્થી મૂંઝાઈ ગયો, થોડો અકળાયો. એણે એના પિતા સામે જોયું. એના પિતા પણ વિચારોમાં તણાતા હતા. હવે પછી શું ?... એના પિતાની આંખમાં પણ પ્રશ્નાર્થ હતો. એટલે વિદ્યાર્થીએ કહી નાખ્યું : ‘પછી મરી જઈશું.' ચિન્તકે કહ્યું : ‘બરાબર, હું એ જ કહેવા માગતો હતો. આટલા અભ્યાસ પછી, આટલી પ્રવૃત્તિ પછી, આટલી સાધના પછી પણ મરવાનું !' મરવા માટે આટલું બધું કરવાનું ? મરવું જ હોય તો આટલો અભ્યાસ ન Jain Education International ૫૨ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy