SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ બધુંય ખાઈ જાઓ, પણ તે વખતે તમને કોઈ પૂછે કે શાકમાં જરા મીઠું વધારે હતું ? તમે કહેશો, “મને કંઈ ખબર નથી... !'' બીજો કોઈ વખત હોત તો તમે તરત વાડકો હડસેલી મૂકત અને કહેત કે આ શાક ખાવા લાયક નથી. પણ જ્યારે તમારું મન બીજે ઠેકાણે વ્યસ્ત હોય, રોકાયેલું હોય તે સમયે તમારા ખોરાકમાં ગમે તે વસ્તુ આવી હોય પણ એ વખતે તમે શું ખાઓ છો તેનું કંઈ મહત્ત્વ નથી, કારણ કે મનનું જોડાણ રસેન્દ્રિય સાથે નથી અને તેથી એ વખતે તમે જે જે ૨સ ખાધા હોય, તે રસનો સ્પર્શ મનને થતો નથી. એટલે, પાંચેય ઇન્દ્રિયોનું જો મુખ્ય કેન્દ્ર હોય તો તે મન છે. આપણે પાંચે ઇન્દ્રિયોને સ્વચ્છ રાખીએ છીએ, પણ એનું જે કાર્યવાહક કેન્દ્ર મન છે એમાં તો જાળાં બાઝયાં છે, એ મેલું થઈ ગયું છે, એ ગંદું બની ગયું છે; એના ઉપર કાટ ચઢી ગયો છે; એનું ઇલિંગ જ થયું નથી. પરિણામ એ છે કે, આપણી પાંચેપાંચ ઇન્દ્રિયોએ બરાબર વ્યવસ્થિત રીતે જે કામ કરવું જોઈએ તે કામ તે કરતી નથી. મન મુખ્ય સ્ટેશન છે, ત્યાંથી જ બધી ગાડીઓ છૂટે છે; ત્યાંથી જ પ્રવાહો અને આંતર-પ્રવાહો વહે છે. એ મુખ્ય મથક છે. એ બરાબર ન હોય, તો પરિણામ બીજું શું આવે ? જ્ઞાનીઓ આપણને આ જ વાત પૂછે છે. આંખને ધોવા માટે કાચની પ્યાલીઓ લઈ આવીએ, કાનને સાફ કરવા માટે સળીઓ લઈ આવીએ, દાંતને સાફ કરવા માટે બ્રશ અને ટૂથ-પેસ્ટ લઈ આવીએ, અને શરીરને સ્વચ્છ કરવા માટે સારામાં સારા સાબુ લઈ આવીએ છીએ; પણ મનને સ્વચ્છ કરવા માટે શું લાવીએ છીએ ? મનને વિશુદ્ધ કરવા માટે આપણી પાસે શું સાધન છે ? આપણી પાસે એવું એક સાધન છે : જ્ઞાનીનાં વચનામૃતો. પણ આપણે એ સાંભળીએ છીએ ખરાં ? તે જ્ઞાની એવો હોવો જોઈએ કે આપણા વિકાસમાં સહાયક હોય, આપણા મનને વિશુદ્ધ બનાવે, આપણા મનને પ્રકાશથી ભરે. આપણા મનમાં રહેલી બદીઓ કાઢે અને કહે કે આનું તો ઑપરેશન કર્યા વિના ચાલે જ નહિ. તમે કહો, “નહિ ભાઈ, આના પર કાપકૂપ નહિ કરતા. એ તો મારા મનનો કટકો છે.'' એ કહેશે કે, “ભલે એ તમારા દિલનો ટુકડો હોય, પણ એ સડી ગયો છે; એટલે એનું ઑપરેશન અનિવાર્ય છે. ઍપેન્ડિસાઇટિસનું આંતરડું એ તમારું જ એક અંગ હોય છે, પણ તે અંગ સડી જાય તો ઑપરેશન અનિવાર્ય છે. Jain Education International જીવન-માંગલ્ય * ૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy