SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મનની અંદર ચાલી રહેલાં તોફાનોને, આપણા મનમાં ઊભા થતા રાગ-દ્વેષના યુદ્ધને, આપણે જેમ બને તેમ છુપાવવા, ઢાંકવા કે સંતાડવા પ્રયત્ન કરીએ છીએ. જીવનનો જે દ્રષ્ટા છે, જીવનના અર્થનો જે જિજ્ઞાસુ છે એ જાણે છે કે, અંદરનું અંદર દાબી રાખીશું તો એ દાબેલું ગમે ત્યારે ફૂટી નીકળશે. અંતે તો એ દાબેલી વસ્તુ જવાળામુખી બને છે અને એ જ્યારે ફાટે છે ત્યારે આસપાસના વાતાવરણને ખેદાન-મેદાન કરી નાખે છે. આપણી હૃદયગુફામાં દાબી રાખેલી વસ્તુઓ પણ એક દિવસ એમ જ બહાર આવશે ત્યારે માણસને હતો-ન હતો કરી નાખશે. માણસનું પતન આ રીતે જ થાય છે. કોઈને નહિ કહેવા માટે સંતાડી રાખેલી વસ્તુઓ, એક દિવસ બહાર આવે છે - જ્વાળામુખી જેમ ફાટી નીકળે છે અને એમાંથી માણસનો વિનાશ સર્જાય છે. તમારા મનની અંદર એકાદો પણ અશુભ, અમંગળ, અયોગ્ય અને અપવિત્ર વિચાર પેસી જાય તો એને માટેનો માર્ગ એક જ છે : તાબડતોબ એનું ઓપરેશન કરવું. જો તમે ઓપરેશન નહિ કરો તો, હેરાનગતિ બીજા કોઈને નહિ પણ એ વિચારને સંતાડી રાખનાર તમને પોતાને જ થશે એ યાદ રાખજો. એટલા માટે, શિષ્ય પોતાના મનની અંદર ચાલતા જે વિચારો છે, પોતાના મનની અંદર ઊઠતા ને તર્કો છે, તે ગુરુ સમક્ષ વિનમ્રભાવે રજૂ કરે છે, અને કહે છે કે હું દર્દી છું, તમે મારા ડૉક્ટર છો. હું તમારી પાસે નિદાન અર્થે આવેલો છું. મારા પર કૃપા કરી તેનો કંઈ રસ્તો બતાવો. જરા વિચારો : તનના રોગની દવા લેવા માટે આપણે કેટલા નમ્ર બનીને જઈએ છીએ, પણ મનની દવા લેવા માટે આપણે એટલા નમ્ર બનીએ છીએ ખરા ? આપણું શરીર જરાક બગડે તો, એ વિષયનો જે નિષ્ણાત હોય તેને શોધી, તરત તેની પાસે દોડી જઈએ છીએ એ મુંબઈમાં હોય, કલકત્તામાં હોય કે દૂર-સુદૂર વિદેશમાં હોય, તોપણ ત્યાં દોડી જવાનો શક્ય પ્રયત્ન કરીએ છીએ અને તનની ઔષધિ શોધી કાઢીએ છીએ. - તનને માટે જો દવાની આવશ્યકતા હોય તો પછી શું મનને માટે દવાની આવશ્યકતા જ નથી ? શું આપણું મન જ એકલું માંદું છે અને મન માધું નથી ? મનની માંદગીનો આપણને કદી વિચાર આવ્યો છે ? આખરે તો તનને જો બગાડનાર જીવન-માંગલ્ય : 33 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy