SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આમ કહી એ મને એની શાળામાં લઈ ગયો. ત્યાં એણે એક મોટો આયનો રાખેલો. આયનાની સામે પોપટનું પાંજરું મૂકેલું, ને પછી આયનાની પાછળ સંતાઈને બોલવા લાગે. પોપટ અવાજ સાંભળી આયનામાં દેખાતા પોપટ સામે જુએ. એને એમ લાગે કે સામે બેઠેલો પોપટ બોલે છે. એટલે એ પણ બોલવાનો પ્રયત્ન કરે. આવા સતત અભ્યાસ વર્ડ, પોપટ માણસની જેમ સ્પષ્ટ વાત કરતાં શીખી જાય. આ કરામતના વિચાર મારા મનમાં આખોય દિવસ ઘૂમી રહ્યા. માનવી એક પોપટને તાલીમ આપી શકે છે તો પછી માનવને તાલીમ શા માટે ન આપી શકે ? ગુરુરૂપી આયનામાં પ્રતિબિંબ જોઈ પાછળથી સંભળાતી આત્મજ્ઞાનીની વાણીના અભ્યાસથી સ્વરૂપની પિછાન કરવાની છે. સતત અભ્યાસ વડે પોપટ માણસની જેમ બોલી શકે છે. સતત અભ્યાસ વડે જ સરકસનો ખેલાડી દોરી પર કરામત કરી શકે છે . તે જ રીતે સતત અભ્યાસ વડે માનવી પોતાનું નામ વિસ્મરીને પોતાના આત્માને ઓળખી શકે. અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું : ‘તોફાની મનને કાબૂમાં શી રીતે લેવું ?” શ્રીકૃષ્ણ કહ્યું, : ‘અભ્યાસ અને વૈરાગ્ય વડે.” અધ્યાત્મ માર્ગ જાદુઈ લાકડી નથી કે પળવારમાં જ બધું પલટાઈ જાય. એ તો અભ્યાસની બાબત છે. સંસારના વિષયો પર વૈરાગ્ય આવે અને એમાંથી છૂટવાનો પ્રયત્નનો અભ્યાસ વધે, તો કઠિનમાં કઠિન બાબત પણ સુલભ બની જાય. અભ્યાસ વડે જ બાળક બોલતાં શીખે છે. અભ્યાસ વડે જ બાળક ચાલતાં શીખે છે. અભ્યાસ વડે જ માણસ વાહન ચલાવતાં શીખે છે. અભ્યાસ વડે જ પગ બ્રેક પર જાય છે, બૅલૅન્સ જળવાય છે. અભ્યાસ તૂટી જાય તો સતત સાવધ રહેવું પડે, નહિ તો બ્રેક પરનો પગ ચૂકી જવાતાં કે બૅલૅન્સ ખોઈ બેસતાં અકસ્માત થાય. માટે જ સંતો કહે છે : સતત નામસ્મરણનો અભ્યાસ રાખો. મનની વૃત્તિઓને ટેવ પાડો. Jain Education International ૨૮ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy