SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ માટે પોતાની શક્તિ હોય એ પ્રમાણે પ્રજા પ્રેમથી પોતાનો ફાળો રાજ્યભંડારમાં નોંધાવી જાય.” ત્રણ દિવસમાં તો પ્રજાએ ધન, રત્નો, હીરા, પન્ના બધુંય લાવી રાજ્યભંડારમાં મોટો ઢગલો કર્યો. સુબુદ્ધિવાન રાજાએ સંપત્તિવાન રાજાને કહ્યું, “હવે જરા ગણી જુઓ, તમારી સંપત્તિને મારી આ સંપત્તિ સાથે સરખાવી જુઓ.” આ સંપત્તિના ઢગલા આગળ પેલાની સંપત્તિ વામણી લાગતી હતી. “રાજ્ય ચલાવતાં તમને આવડે છે કે મને ? તમે ભેગું કરીને એની રક્ષા માટે ચોકિયાત રાખો છો, પોલીસ રાખો છો, બીજા રાજાઓને શત્રુ બનાવો છો અને અંતે સંગ્રહ કરીને બીજા રાજાઓના મનમાં તમારા પ્રત્યે ઈર્ષ્યા જગાડો છો. અહીં એટલા ચોકિયાત પણ નહિ અને ઈર્ષ્યા પણ નહિ. ઉપરથી તમારા જેવા પણ એમ કહે છે કે સદાવ્રતખાતું ચલાવે છે. મારો ભંડાર મારે ત્યાં નહિ, પ્રજાને ત્યાં છે. મારો રાજ્યભંડાર સંપત્તિ નહિ, સુબુદ્ધિ છે.” આ બે વચ્ચેનું અંતર તમને ખ્યાલમાં આવ્યું ? સુબુદ્ધિ અને સંપત્તિ. એકની પાસે સુબુદ્ધિ હતી એટલે એ પ્રસન્ન અને સંતોષી હતો; બીજાની પાસે સંપત્તિ હતી એટલે એ સદા પ્રજાને લૂંટવાના વિચારમાં બળ્યા કરતો હતો. તમારે ત્યાં કોઈ ઘરાક આવે ત્યારે તમને એમ વિચાર આવે ને કે આજે આને બરાબર “શીશામાં ઉતારું.” આ બહુ સારો શબ્દ છે ! અને પછી ઘરાકને બરાબર “શીશામાં ઉતારીને તમે રાજી થતાં કહેશો : ઘરાકને કેવો બનાવ્યો, કેવી રીતે લૂંટ્યો. શીશામાં ઉતારનાર પોતે પણ ક્યાંક ઊતરી રહ્યો છે એ ભૂલી જવાય છે. તું કોઈકને ઉતારે છે, તને કો'ક ઉતારે છે. દુબુદ્ધિ એ સહુથી ખરાબમાં ખરાબ વસ્તુ છે. ઘરાકની સાથે વ્યાપાર કરવો હોય તો એમ નહિ ઇચ્છો કે આજ આ બરાબર હાથમાં આવ્યો છે, હું લૂંટી લઉં, મારું ઘર ભરી દઉં. એ તમારી કુબુદ્ધિ તમને સુખે નહિ જીવવા દે. જો બની શકે તો સરસ વિચાર કરો : “જેમ હું પેટ લઈને બેઠો છું એમ એને પણ પેટ છે. હું જેમ સુખી થવા માગું છું એમ ગ્રાહક પણ સુખી થવા અહીં આવ્યો છે. હું આની સાથે એવો વ્યાપાર કરું કે જેમાંથી મને પણ બે પૈસા મળે અને આ લઈ જનાર માણસ પણ સુખી થાય.” ઘરાકનું સારું નહિ ઇચ્છો ત્યાં સુધી વ્યાપારીનું સારું નહિ થાય. વ્યાપાર એ ત્રાજવું છે. એક પૂર્ણના પગથારે જ ૨૮૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy