SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ બે વચ્ચેનું અંતર સમજવા જેવું છે. તત્ત્વજ્ઞાનમાં આત્મા અને મોક્ષ બધું આવે, જ્યારે નીતિમાં માત્ર આ લોક અને તેનો વ્યવહાર જ આવે. હા, આ વ્યવહાર શુદ્ધ બનાવવાની જરૂર છે જ; પણ ત્યાં આપણે અટકવાનું નથી, આગળ વધવાનું છે. જીવ અને જગતના સૂક્ષ્મ સંબંધને જાણવાનો છે અને જગતમાં રહેવા છતાં, જીવનને અલિપ્ત રાખવાનું છે. નૌકા તો તમે જોઈ છે ને ? એ પાણી વચ્ચે અને પાણીની અંદર રહેવા છતાં પોતાની અંદર પાણીને આવવા નથી દેતી. સરિતા અને સાગરને એ તરી જાય છે; અંદર બેસનારને સામે પાર ઉતારી જાય છે. તેમ, જો તત્ત્વજ્ઞાનનાં દિવ્ય નયન મળે તો સંસારમાં રહેવા છતાં તમે તરી જાઓ અને સંસારને સંસારના મૂળ સ્વરૂપે જોઈ, એમાંથી છોડવા લાયક, જાણવા લાયક અને આચરવા લાયક આ ત્રણે વાતનું રહસ્ય સમજીને જીવન જીવી શકો. આ દિવ્ય નયનનો પ્રકાશ મળતાં મરણ પણ ભયજનક કે શોકજનક નહિ લાગે. તમને એમ જ લાગશે કે આ તો માત્ર એક પ્રવાસ છે – ચિરપ્રવાસ છે. મૃત્યુ માટે રવીન્દ્રનાથે એક સુંદર અને મધુર કલ્પના આપી છે. એક મા પોતાના બાળકને ધવરાવતી હોય છે. જમણા થાનમાં દૂધ ઓછું થતાં, તેને એ ત્યાંથી ઉપાડી લે છે અને બાળક રડવા મંડી પડે છે. હાથ-પગ પછાડે છે. ત્યાં તો મા એને પોતાના ડાબા થાન પર મૂકી દે છે. દૂધ મળતાં બાળક ચૂપ થઈ જાય છે, રાજી રાજી થઈ જાય છે, વધારે દૂધ પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે, માણસ પણ અજ્ઞાની છે. મૃત્યુ વખતે એ રડે છે. જો એની પાસે સુકૃત હોય તો એ ત્યાંથી ઉચ્ચગતિએ જ જવાનો. કાળ કહે છે કે તું ક્યાં મરી જાય છે ! તારું શરીર હવે કામ કરતું નથી એટલે એને બદલવાની માત્ર જરૂર છે. તારા કાન સાંભળતા નથી એટલે તારે સાંભળવા માટે યંત્રની મદદ લેવી પડે છે. તારી આંખ જોતી નથી એટલે જોવા માટે તારે કાચ ચઢાવવા પડે છે. દાંત પડી ગયા છે એટલે તારે ચાવવા માટે ચોકઠાં ચઢાવીને ચાવવું પડે છે. તું ઊભો થઈ શકતો નથી એટલે તારે ટેકો લેવો પડે છે. તો ચાલ, તારું શરીર જીર્ણ થયું છે, તે એને બદલી નાખીએ. કાળની આ વાત માણસ સમજતો નથી અને રોવા બેસે છે. ખરી રીતે તો મૃત્યુ એટલે નીરસ સ્થાનને છોડી, સરસ સ્થાનમાં જવાનું. એક એવું ઘરડું માણસ હોય કે જેની સામે કોઈ ન જુએ. પણ મરીને એ બાળક થઈ અવતરે એટલે સૌ એને રમાડવા દોડે, ઉપાડી ઉપાડીને બચીઓ કરે, આમાં શું આત્મા બદલાયો છે ? ના, માત્ર શરીર બદલાયું છે. એટલે ૧૬ - જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy