SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ દ તર્કરહસ્યદીપિકા બીજાં દર્શનોમાં રહેલા સત્યાંશનો આદર કરવા લાગે તો પરસ્પર સાપેક્ષતાના કારણે સમન્વય થઈ જવાથી તેમની વચ્ચેનો વિરોધ મૈત્રીનું રૂપ ધારણ કરી લેશે. વસ્તુના અનેકાન્ત સ્વરૂપ સુધી પહોંચવાનો આ જ એકમાત્ર પ્રશસ્ત માર્ગ છે. આમ પોતે માનેલા એક એક વસ્તુઅંશમાં પૂર્ણતાના મિથ્યા અભિમાનના કારણે બધાં દર્શનો એકબીજાનું ખંડન કરે છે અને પરસ્પર વિરોધી ભાસે છે. પરંતુ તેમણે માનેલા વસ્તુઅંશોની વસ્તુમાં યથાર્થ સ્થિતિ હોવાના કારણે પરસ્પર સાપેક્ષ ભાવથી જ્યારે સમન્વય કરવામાં આવે છે ત્યારે તે જ પરસ્પર સાપેક્ષ વસ્તુઅંશો સમીચીન અર્થાત્ અવિરોધી અને યથાર્થ બની જાય છે અને આવા પરસ્પર સાપેક્ષ વસ્તુઅંશોના પ્રતિપાદક દર્શનો આનાયાસ જ સ્યાદ્વાદના સમર્થક બની જાય છે. તેથી અનેક ધર્મોનું પરસ્પર સાપેક્ષ કથન કરનારો સ્યાદ્વાદ જ સાચો સિદ્ધાન્ત છે.] સ્યાદ્વાદના દેશક અર્થાત્ સમ્યક્ વક્તા સ્યાદ્વાદદેશક છે. આનાથી ભગવાન વર્ધમાનના વચનાતિશયનું કથન થયું. । 5. तदेवं चत्वारोऽत्रातिशयाः शास्त्रकृता साक्षादाचचक्षिरे । तेषां हेतुहेतुमद्भाव एवं भाव्यः यत एव निःशेषदोषशत्रुजेता तत एव सर्वज्ञः । यत एव सर्वज्ञस्तत एव सद्भूतार्थवादी । यत एव सद्भूतार्थवादी, तत एव त्रिभुवनाभ्यर्च्य इति । 5. આ રીતે શાસ્રકારે શ્લોકમાં આવેલા ‘સદ્દર્શન’, ‘જિન’ અને ‘સ્યાદ્વાદદેશક’ વિશેષણો દ્વારા ભગવાન વર્ધમાનના જ્ઞાનાતિશય આદિ ચાર અતિશયોનું સાક્ષાત્ પ્રતિપાદન કર્યું છે.આ અતિશયોનો પરસ્પર કાર્યકારણભાવ આ પ્રમાણે છે – ભગવાન રાગદ્વેષ આદિ બધા અન્તઃશત્રુઓને જીતીને જિન બન્યા છે, તેથી પરિણામે તેમણે જ્ઞાનાવરણરૂપ શત્રુનો પણ ક્ષય કરી નાખ્યો છે એટલે તે સર્વજ્ઞ છે. તે સર્વજ્ઞ હોવાના કારણે યથાર્થવાદી છે અને ભગવાન યથાર્થવાદી હોવાથી જ ત્રિલોકપૂજ્ય છે. 6. एवमतिशयचतुष्टयीप्रवरं वीरं महावीरं वर्तमानतीर्थाधिपतिं श्रीवर्धमानापराभिधानं नत्वा मनसा तदतिशयचिन्तनेन, वाचा तदुच्चारणेन, कायेन भूमौ शिरोलगनेन च प्रणिधायेत्यर्थः । 6. આમ ચાર અતિશયોથી ઉત્કૃષ્ટ, વર્તમાન જિનશાસનના સ્વામી, બીજું નામ ‘વર્ધમાન’ ધરાવતા વીર અર્થાત્ મહાવીર ભગવાનને નમસ્કાર કરીને અર્થાત્ મનથી તેમના અતિશયોનું ચિન્તન કરીને, વચનથી તેમના અતિશયોનું ગાન કરીને તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy