SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૭૫ “ઇચ્છા”ની તેમની વિભાવનાનો સાંખ્ય પ્રકૃતિની – અર્થાત્ શુદ્ધ ચિતૂપ સાક્ષી પુરુષથી જેનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે તે આંધળી વૈશ્વિક શક્તિની – વિભાવના સાથે ખરા અર્થમાં મેળ છે. શોપનહોરના મતે, જગતનું સર્જન “બ્રહ્મનું એક પાપકાય છે, તેમ છતાં જે બ્રહ્મનું પોતાને જગતરૂપે પ્રગટ કરે છે તે સાચું અને પૂર્ણ બ્રહ્મ નથી. “વેદના સિદ્ધાન્ત પ્રમાણે, બ્રહ્મનુના માત્ર એક ચતુર્થાંશ ભાગે જ જગતનો આકાર ધારણ કર્યો છે, અને તેનો ત્રણ ચતુર્થાંશ ભાગ તો આનંદમય બહ્મ તરીકે જગતથી મુક્ત, પર રહે છે. આ ત્રણ ચતુર્થાંશ બ્રહ્મનું, વધુ યોગ્ય રીતે કહીએ તો જીવન પ્રત્યેની ઇચ્છાની દઢ વિધિ સામે તે ઇચ્છાના નિષેધનું, દશ્ય પ્રતિનિધિ છે સીમિત જગતની સામે વિરોધમાં રહેલું અસીમ આકાશ – જે સીમિત જગતમાં પેલો દઢ વિધિ પોતાને વિષયાકારે પરિણત કરે છે તેમ જ જે સીમિત જગત મૂંઝવી નાખી સ્તબ્ધ કરી દે તેવું પરિમાણ ધરાવતું હોવા છતાં અનંતગણું નાનું છે.” યુરોપીય ભાવુકતાવાદી ધારણાઓને અનુસરી શોપનહોર પણ ભારતને સૌથી પ્રાચીન તેમ જ સૌથી શુદ્ધ પ્રજ્ઞાની ભૂમિ તરીકે જુએ છે, એવી ભૂમિ તરીકે જુએ છે જ્યાં યુરોપિયનો પોતાના મૂળને શોધી શકે, એવી પરંપરા તરીકે જુએ છે જેનાથી નિશ્ચિત રીતે અનેક યુરોપિયનો પ્રભાવિત થયા છે. તેમને ખાતરી થઈ ચૂકી હતી કે ખ્રિસ્તી ધર્મના મૂળ ભારતીય છે. તે ઉપનિષદોને “ઉત્કૃષ્ટપણે ઉદાત્ત માનવીય જ્ઞાન અને પ્રજ્ઞાના ફળરૂપ” ગણતા હતા. પંદરમી સદીમાં ગ્રીક ભાષા સાહિત્યના પુનર્જીવનથી યુરોપિયનોના જીવનમાં જેટલો મહત્ત્વનો ચેતનાનો વિસ્ફોટ થયો હતો તેટલો જ મહત્ત્વનો નૂતન ચેતનાનો વિસ્ફોટ ફરીથી સંસ્કૃત સાહિત્યના પ્રભાવથી થશે એમ તેમને લાગતું હતું. ભારતીય ખ્યાલોને પોતાના ખ્યાલોમાં તેમજ યુરોપીય ચિંતન અને સ્વસમજમાં સમન્વિત કરી એક રસ કરવા માટે શોપનહોરે અભૂતપૂર્વ તત્પરતા દાખવી છે, એટલું નહિ પણ પોતાના ઉપદેશો અને સમસ્યાઓને સમજાવવા ઉદાહરણ તરીકે ઉદ્ધત કરવા માટે, તેમને સ્પષ્ટ આકાર આપવા માટે અને તેમને વિશદ કરવા માટે પણ ભારતીય ખ્યાલોનો ઉપયોગ કરવાની તેમની તત્પરતા અજોડ મેઈનલેન્ડરને (ઈ.સ. ૧૮૭૬) “મરણેચ્છા”ના પોતાના સિદ્ધાન્તનું આવકારલાયક દૃષ્ટાન્ત બૌદ્ધ ધર્મમાં મળ્યું. કે. ઇ. નોયમાને (પ્રસિદ્ધ સંગીતકાર વાઝેરના ઓપેરાચાલક આજેલો નોમાનના પુત્રે) પાલિ પિટકોના અનુવાદો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy