SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૬૯ મીમાંસક-લોકાયતમત (૮૦). 3. व्याख्या- लोकायता नास्तिका एवम् इत्थं वदन्ति । कथमित्याहजीवश्चेतनालक्षण: परलोकयायी नास्ति, पञ्चमहाभूतसमुद्भूतस्य चैतन्यस्येहैव भूतनाशे नाशात्परलोकानुसरणासंभवात् । जीवस्थाने देव इति पाठे तु देवः सर्वज्ञादिर्नास्ति । तथा न निर्वृतिर्मोक्षो नास्तीत्यर्थः । अन्यच्च धर्मश्चाधर्मश्च धर्माधौं न विद्यते पुण्यपापे सर्वथा न स्त इत्यर्थः । नैव पुण्यपापयोः फलं स्वर्गनरकादिरूपमस्ति, धर्माधर्मयोरभावे कुतस्त्यं तत्फलमिति भावः ॥८०॥ 3. શ્લોકવ્યાખ્યા-લોકાયત નાસ્તિકો આ પ્રમાણે કહે છે. શું આ પ્રમાણે કહે છે? તેઓ કહે છે કે ઈહલોકથી પરલોકમાં જનારું ચેતનાલક્ષણવાળું જીવ નામનું કોઈ સ્વતન્ત્ર તત્ત્વ નથી. પૃથ્વી આદિ પાંચ મહાભૂતોના વિશિષ્ટ સંયોજનથી ઉત્પન્ન થનારું ચૈતન્ય ભૂતોનો નાશ થતાં (અર્થાત્ ભૂતોના વિશિષ્ટ સંયોજનનું વિઘટન થતાં) ઈહલોકમાં જ નાશ પામી જાય છે, એટલે પરલોક સુધી તેનું નવું સંભવતું નથી. શ્લોકમાં “જીવ'ના સ્થાને “દેવ' એવો પાઠ પણ મળે છે. આ પાઠાન્તર અનુસાર આ અર્થ થાય છે – સર્વજ્ઞ આદિ વિશેષણોવાળો કોઈ દેવ નથી. નિવૃતિ' અર્થાત્ મોક્ષ પણ નથી. વળી, ધર્મ અને અધર્મ પણ નથી એટલે કે પુણ્ય અને પાપ પણ સર્વથા નથી. ઉપરાંત, પુણ્ય અને પાપનાં ફળ સ્વર્ગ-નરક આદિ પણ નથી જ. જયારે ધર્મ(પુણ્ય) અને અધર્મ (પાપ) જ નથી ત્યારે તેમનાં ફળ ક્યાંથી હોય? ન જ હોય. (૮૦). 4. सोल्लुण्ठं यथा ते स्वशास्त्रे प्रोचिरे तथैव दर्शयन्नाह-तथा च तन्मतम्। एतावानेव लोकोऽयं यावानिन्द्रियगोचरः । भद्रे वृकपदं पश्य यद्वदन्त्यबहुश्रुताः ॥८१॥ 4. ચાર્વાકો જેવી રીતે બીજાની હાંસી ઉડાવતા પોતાનાં શાસ્ત્રોમાં તેમના મતનું નિરૂપણ કરે છે તેવી રીતે જ તેમના મતને આચાર્ય રજૂ કરે છે– જેટલો ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે તેટલો જ લોક છે. “હે પ્રિયે (આ કૃત્રિમ) રીંછપગલાને જો જેને મૂર્ખાઓ (સાચું) રીંછપગલું કહે છે, ગણે છે. [અને તેના ઉપરથી રીંછનું અનુમાન કરે છે. આ દષ્ટાન્ત જ અનુમાનની વ્યર્થતા પ્રગટ કરે છે.]' (૮૧) Jain Education International For Private & Personal Use Only · www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy