SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા 39. શંકા– વસ્તુ નિરંશ, સત્ અને એકરૂપ છે, તેથી વસ્તુ કેવળ સદ્રૂપ જ છે, અસટ્રૂપ છે જ નહિ. જ્યારે નિરંશ સટ્રૂપ વસ્તુ પૂરા રૂપથી પૂરેપૂરી પ્રત્યક્ષ વડે ગૃહીત થઈ જાય છે ત્યારે તેમાં એવું કયું બીજું અસટ્રૂપ બચે છે કે જેને ગ્રહણ કરવા માટે અભાવપ્રમાણની જરૂરત પડે ? ૬૬૪ મીમાંસક વસ્તુ ન તો નિરંશ છે કે ન તો કેવલ સટ્રૂપ અર્થાત્ સદંશવાળી છે. વસ્તુમાં તો સત્ અને અસત્ બન્ને રૂપો યા અંશો છે. વસ્તુમાં સ્વરૂપની દૃષ્ટિએ સદંશ છે તથા પરરૂપની (પર વસ્તુઓના રૂપની) દૃષ્ટિએ અસદંશ છે. જો વસ્તુ સ્વરૂપથી સત્ ન હોય તો પછી તેનું વસ્તુત્વ જ ન રહે અર્થાત્ તે સર્વથા અસત્ બની જાય. તેવી જ રીતે જો વસ્તુ પરરૂપથી અસત્ ન હોય તો સ્વ અને પરના વિભાગનો જ લોપ થઈ જાય. તાત્પર્ય એ છે કે વસ્તુને સત્ અને અસત્ બન્ને રૂપોવાળી માનવાથી જ વસ્તુનું વસ્તુત્વ ઘટે છે, અન્યથા ઘટતું નથી. શંકા—જયારે સદંશ અને અસદંશ બન્ને અભિન્ન છે ત્યારે પ્રત્યક્ષ આદિથી સદેશનું ગ્રહણ થતાં અસદંશનું પણ ગ્રહણ થઈ જ જાય, તો પછી અસદંશને જાણવા માટે અભાવપ્રમાણની આવશ્યકતા ક્યાં રહી? મીમાંસક— જો કે સદંશ અને અસદંશરૂપ ધર્મો ધર્મીથી અભિન્ન છે, એક છે તેમ છતાં તેમનો પરસ્પર ભેદ પણ મનાયો છે. ધર્મની દૃષ્ટિએ પરસ્પર તાદાત્મ્ય હોવા છતાં પણ સ્વરૂપની દૃષ્ટિએ બન્ને ધર્મો પરસ્પર જુદા છે. તેથી સદંશનું પ્રત્યક્ષ આદિથી ગ્રહણ થવા છતાં પણ અસદંશ પ્રત્યક્ષ આદિથી અગૃહીત જ રહે છે અને તેથી આ અસદંશને ગ્રહણ કરવા માટે અભાવપ્રમાણની આવશ્યકતા છે. આમ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી અગૃહીત અભાવ નામના પ્રમેયને ગ્રહણ કરનારું અભાવપ્રમાણ નામનું સ્વતન્ત્ર પ્રમાણ સિદ્ધ થાય છે. 40. अथोक्तमपि किंचिद्व्यक्तये लिख्यते-अनधिगतार्थाधिगन्तु प्रमाणम् । पूर्वं पूर्वं प्रमाणमुत्तरं तु फलम् । सामान्यविशेषात्मकं वस्तु प्रमाणगोचरः । नित्यपरोक्षं ज्ञानं हि भाट्टप्राभाकरमतयोरर्थप्राकट्याख्यसंवेदनाख्यफलानुमेयम् । वेदोऽपौरुषेयः । वेदोक्ता हिंसा धर्माय । शब्दो नित्यः । सर्वज्ञो नास्ति । अविद्यापरनाममायावशात्प्रतिभासमानः सर्वः प्रपञ्चोऽपारमार्थिकः । परब्रह्मैव परमार्थसत् ॥ ७६ ॥ 40. મૂલ ગ્રન્થકારે સ્વયં કહેલી કેટલીક વાતોને અમે સ્પષ્ટ કરીએ છીએ. અગૃહીત (અજ્ઞાત) અર્થને ગ્રહણ કરનારું અર્થાત્ જાણનારું જ્ઞાન પ્રમાણ છે. પૂર્વ પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy