SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસક-લોકાયતમત ૬૫૭ 29. अर्थापत्तिपूर्विकार्थापत्तिः यथोक्तप्रकारेण शब्दस्यार्थेन संबन्धसिद्धावर्थान्नित्यत्वसिद्धिः पौरुषेयत्वे शब्दस्य संबन्धायोगात् । अभावपूर्विकार्थापत्तिः यथा जीवतो देवदत्तस्य गृहेऽदर्शनाद्बहिर्भावः । अत्र च चतसृभिरर्थापत्तिभिः शक्तिः साध्यते, पञ्चम्या नित्यता, षष्ठ्या गृहाद्बहिभूतो देवदत्त एव साध्यत इत्येवं षट्प्रकारार्थापत्तिः । अन्ये तु श्रुतार्थापत्तिमन्यथोदाहरन्ति, पीनो देवदत्तो दिवा न भुङ्क्त इति वाक्यश्रवणाद्रात्रिभोजनवाक्यप्रतीतिः, श्रुतार्थापत्तिः । गवयोपमितस्य गोस्तज्ज्ञानग्राह्यताशक्तिस्पमानपूर्विकार्थापत्तिरिति । इयं च षट्प्रकाराप्यर्थापत्तिर्नाध्यक्षम्, अतीन्द्रियशक्त्याद्यर्थविषयत्वात् । अत एव नानुमानमपि, प्रत्यक्षपूर्वकत्वाસસ્ય, તત: પ્રમાળાન્તમેવા/પત્તિ: સિદ્ધાર - ન 29. અર્થાપત્તિપૂર્વિકા અર્થાપત્તિ-ઉ૫૨ દર્શાવ્યા પ્રમાણે શબ્દપૂર્વિકા અર્થપત્તિ દ્વારા શબ્દ અને અર્થના સંબંધને જાણીને તે સંબંધના બળે શબ્દના નિત્ય અને અપૌરુષેય હોવાની કલ્પના અર્થપત્તિપૂર્વિકા અર્થપત્તિ છે. શબ્દ જો પૌરુષેય (પુરુષકૃત) હોત તો તેમાં નિત્ય સંબંધ ન હોત. અભાવપૂર્વિકા અર્થાપત્તિ – જીવતા દેવદત્તને ઘ૨માં ન જોઈને તે ઘરની બહાર હોવાની કલ્પના કરવી તે અભાવપૂર્વિકા અર્થપત્તિ છે. આ બધી અર્થપત્તિઓમાં ઉપમાનપૂર્વિકા અર્થાપત્તિ સુધીની ચાર અર્થોપત્તિઓ દ્વારા શક્તિની સિદ્ધિ કરવામાં આવે છે. પાંચમી અર્થપત્તિપૂર્વિકા અર્થપત્તિથી નિત્યતા અને છઠ્ઠી અભાવપૂર્વિકા અર્થપત્તિથી ઘરની બહાર દેવદત્તની ઉપસ્થિતિ સિદ્ધ કરવામાં આવે છે. કેટલાક આચાર્યો શ્રુતાથપત્તિનું બીજું જ ઉદાહરણ આપે છે ‘જાડો દેવદત્ત દિવસે ખાતો નથી' આ વાક્યને સાંભળીને તેના રાત્રિભોજનવાક્યની કલ્પના કરવી એ શ્રુતાર્થપત્તિ છે. તેવી જ રીતે, તેઓ ગવય દ્વારા ઉપમિત થનારી ગાયમાં ઉપમાન જ્ઞાન વડે ગ્રાહ્ય થવાની શક્તિની કલ્પના કરવી એને ઉપમાનપૂર્વિકા અર્થપત્તિ માને છે. આ છયે પ્રકારની અર્થા૫ત્તિ અતીન્દ્રિય શક્તિ આદિને વિષય કરતી હોવાથી પ્રત્યક્ષરૂપ નથી. અને અનુમાન પણ પ્રત્યક્ષપૂર્વક જ થાય છે, તેથી તે અનુમાનરૂપ પણ નથી. આમ અર્થાપત્તિ સ્વતન્ત્ર પ્રમાણ છે એ સિદ્ધ થાય છે. (૭૫) - 30. અથામાવપ્રમાનું સ્વરૂપતઃ પ્રરૂપતિ प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते । वस्तुसत्तावबोधार्थं तत्राभावप्रमाणता ॥ ७६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy