SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ તર્કરહસ્યદીપિકા 460. વળી, આપ બતાવો કે આપના સર્વજ્ઞ ઈશ્વરનું સર્વ અર્થોને જાણનારું પ્રત્યક્ષ ઈન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્ન છે કે ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ વિના ઉત્પન્ન છે? જો આપ કહેશો કે તે ઇન્દ્રિયાર્થસજ્ઞિકર્ષ વિના જ ઉત્પન્ન થાય છે તો “ઇન્દ્રિય અને અર્થના સર્ષિથી ઉત્પન્ન થનારું, અવ્યપદેશ્ય, અવ્યભિચારી અને વ્યવસાયાત્મક જ્ઞાન પ્રત્યક્ષ છે આ પ્રત્યક્ષલક્ષણસૂત્રમાં “ઈન્દ્રિયાર્થસકિત્પન્ન' વિશેષણ નિરર્થક બની જશે, કેમ કે ઈશ્વરપ્રત્યક્ષ તો સમિકર્ષ વિના પણ ઉત્પન્ન થાય છે. જો આપ કહેશો કે ઈશ્વરનું પ્રત્યક્ષ પણ ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષથી ઉત્પન્ન થાય છે તો આપ નૈયાયિકો ઈશ્વરને બાલ્વેન્દ્રિયો તો માનતા નથી, બાકી રહ્યું મન, પણ મનના સન્નિકર્ષથી ઉત્પન્ન થનારું ઈશ્વરપ્રત્યક્ષ સર્વઅર્થોને જાણી શકે નહિ. આપ મનને અણુ માનો છો. તેથી તેનો સર્વ અર્થો સાથે યુગપત્ (એક સાથે) સંયોગ અસંભવ છે. તાત્પર્ય એ કે ઈશ્વરપ્રત્યક્ષ આપણા પ્રત્યક્ષની જેમ જ કયારેય પણ સર્વજ્ઞ નહિ બની શકે કેમ કે જયારે મનનો સર્વ અર્થો સાથે યુગપત્ સકિર્ષ જ અસંભવ છે તો સર્વઅર્થના પ્રત્યક્ષ જ્ઞાનની વાત કરવી વ્યર્થ છે. વળી, મનનો સર્વઅર્થો સાથે ક્રમથી સકિર્ષ માની સર્વઅર્થોનું પ્રત્યક્ષ થાય છે એમ કહેવું પણ યોગ્ય નથી. મનના સર્વ અર્થો સાથેના ક્રમિક સર્ષોિ દ્વારા ક્રમથી સર્વ અર્થોને મહેશ્વર જાણે છે અને એ રીતે સર્વજ્ઞ બને છે એમ જો આપ માનશો તો એ રીતની ક્રમિક સર્વજ્ઞતા તો આપણા જેવા લોકોમાં પણ સંભવે છે. ધીરે ધીરે ક્રમથી જગતના સર્વ અર્થોનું જ્ઞાન મહેશ્વરની જેમ આપણને પણ થઈ શકે છે. મનસગ્નિકર્ષ દ્વારા વર્તમાન અર્થોના જ્ઞાનની સમસ્યાનું સમાધાન કોઈ પણ રીતે થઈ પણ જાય, પરંતુ અતીત અને અનાગત અર્થો તો વિનષ્ટ અને અનુત્પન્ન છે, તેથી તેમની સાથે તો મનનો સકિર્ય કોઈપણ રીતે સંભવે જ નહિ. સત્રિકર્ષ (સંયોગ) તો મોજૂદ અર્થો સાથે થાય, ગેરમોજૂદ અર્થો સાથે ન થાય. અતીત અને અનાગત અર્થો તો વર્તમાન કાળમાં અસત છે, એટલે તેમની સાથે મનના સજ્ઞિકર્ષની કોઈ સંભાવના જ નથી. તેથી મહેશ્વર અતીત અને અનાગત અર્થોના જ્ઞાતા કેવી રીતે બની શકે? આમ એક તરફ મહેશ્વરને સર્વજ્ઞ માનવા અને બીજી બાજુ તેમના જ્ઞાનને સકિર્લોત્પન્ન માનવું એમાં સ્પષ્ટતઃ પૂર્વાપર વિરોધ છે. 461. પર્વ યોનિનામા સર્વાર્થવેને સુરવિરોથરાદ્ધમવવોદ્રવ્યમ્ | 461. આ જ રીતે યોગીઓના જ્ઞાન પણ જો ઇન્દ્રિયાર્થસર્ષોિત્પન્ન હોય તો તે યોગીઓ સર્વજ્ઞ ન બની શકે. આમ પ્રત્યક્ષને ઇન્દ્રિયાર્થસર્ષોિત્પન્ન માનવું અને યોગિપ્રત્યક્ષને સર્વજ્ઞ માનવું એમાં તીવ્ર વિરોધ છે એમ સમજવું જોઈએ. 462. कार्यद्रव्ये प्रागुत्पन्ने सति तस्य रूपं पश्चादुत्पद्यते निराश्रयस्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy