SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૭૯ ન્તરોમાં પોતાનું અસ્તિત્વ ધરાવનારો આત્મા સિદ્ધ થાય છે જે ક્ષણિકાવાદનો સમૂળ નાશ કરનારો છે. આ વચન બીજા કોઈનું નહિ પણ બુદ્ધનું છે. સ્વયં બુદ્ધે જન્માન્તરની અર્થાત્ પરલોકની સત્તા સિદ્ધ કરવા માટે પ્રસ્તુત શ્લોક કહ્યો હતો. આ બુદ્ધવચનમાં ‘ભાલાથી પુરુષને હણનારો જે હું હતો તે જ હું આજે કાંટા વડે વીંધાયો છું' આ પ્રત્યભિજ્ઞાનથી આત્માનું સ્થાયિત્વ પ્રકટપણે જાહેર થાય છે. આમ બૌદ્ધોનો ક્ષણિકવાદ અને આત્માના સ્થાયિત્વનું સાધક આ બુદ્ધવચન પરસ્પર વિરોધી જ છે એમાં લેશમાત્ર પણ સંદેહ નથી. 448. तथा निरंशं सर्वं वस्तु प्राक्प्रोच्य हिंसाविरतिदानचित्तस्वसंवेदनं तु स्वगतं सद्द्रव्यचेतनत्वस्वर्गप्रापणशक्त्यादिकं गृह्णदपि स्वगतस्य सद्द्रव्यत्वादेरेकस्यांशस्य निर्णयमुत्पादयति न पुनः स्वगतस्यापि द्वितीयस्य स्वर्गप्रापणशक्त्यादेरंशस्येति सांशतां पश्चाद्वदतः सौगतस्य कथं पूर्वापरविरुद्धं वचो न स्यात् । 448. વળી, પહેલાં વસ્તુને સર્વથા નિરંશ કહી પછી તેનું સાંશ રૂપે કથન કરવું એ પણ બૌદ્ધોનો સ્વવચનવિરોધ જ છે. તેઓ કહે છે કે ક્ષણિક અહિંસાચિત્ત યા દાનચિત્તનું જે સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ છે તે તે ચિત્તના સત્તા, દ્રવ્યત્વ, ચેતનત્વ, સ્વર્ગ પ્રાપ્ત કરાવી આપવાની શક્તિ આદિ અંશોને ગ્રહણ કરે છે અર્થાત્ જાણે છે, પરંતુ નિશ્ચય તો સત્ત્વ, દ્રવ્યત્વ અને ચેતનત્વ આદિ અંશોનો જ ઉત્પન્ન કરે છે, સ્વર્ગપ્રાપણશક્તિ આદિ અંશોનો નિશ્ચય ઉત્પન્ન કરતું નથી. આમ એક બાજુ વસ્તુની નિરંશતા ઘોષિત કરવી અને બીજી બાજુ વસ્તુના વિભિન્ન અંશોનું નિરૂપણ કરવું એ તો બૌદ્ધોનો ચોખ્ખો વદતોવ્યાઘાત યા સ્વવચનવિરોધ છે. 449. एवं निर्विकल्पकमध्यक्षं नीलादिकस्य वस्तुनः सामस्त्येन ग्रहणं कुर्वाणमपि नीलाद्यंशे निर्णयमुत्पादयति न पुनर्नीलाद्यर्थगते क्षणक्षयेंऽश इति सांशतामभिदधतः सौगतस्य पूर्वापरवचोविरोधः सुबोध एव । 449. વળી, એ જ રીતે નિર્વિકલ્પક પ્રત્યક્ષ નીલ આદિ વસ્તુઓને તેના સમસ્ત ધર્મો સાથે ગ્રહણ કરે છે પરંતુ વિકલ્પ અર્થાત્ નિશ્ચય તો નીલાંશનો જ ઉત્પન્ન કરે છે, નીલ આદિ વસ્તુગત ક્ષણિકતાંશનો વિકલ્પ ઉત્પન્ન કરતું નથી – આવું કહેનારા બૌદ્ધો વસ્તુને સર્વથા નિરંશ કહી તેની સાંશતાનું નિરૂપણ કરે છે, પરિણામે તેઓ પૂર્વાપર વિરોધી વચનો બોલનારા જ છે એ સૌ સરળતાથી સમજી જશે. 450. तथा हेतोस्त्रैरूप्यं संशयस्य चोल्लेखद्वयात्मकतामभिदधानोऽपि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy